Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : A terrible recession like the 1930s may come to America! An investor's shocking prediction

Recession: અમેરિકામાં આવી શકે છે 1930 જેવી ભયંકર મંદી! રોકાણકારની ચોંકાવનારી આગાહી

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Recession: અમેરિકામાં આવી શકે છે 1930 જેવી ભયંકર મંદી! રોકાણકારની ચોંકાવનારી આગાહી

બ્રિજવોટર એસોસિએટ્સના(Bridgewater Associates) સ્થાપક અને પ્રખ્યાત રોકાણકાર રે ડાલિયોએ(Ray Dalio) અમેરિકાના અર્થતંત્ર અંગે સનસનાટીભરી ચેતવણી આપી છે. 2008 ના નાણાકીય સંકટની(Financial crisis) સચોટ આગાહી કરનાર ડાલિયો કહે છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની(US President Donald Trump) વેપાર નીતિઓને(Trade policy) કારણે, અમેરિકા માત્ર મંદીની( recession) આરે નથી પરંતુ તેનાથી પણ મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું છે.

App Store

તાજેતરમાં NBC ના 'મીટ ધ પ્રેસ' માં, ડાલિયોએ કહ્યું હતું કે અમેરિકામાં એક મોટી મંદી આવવાની છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી પણ વધુ ખરાબ થવાની છે. આ ૭૩ વર્ષીય અબજોપતિ રોકાણકારે અમેરિકાના વધતા દેવા, વૈશ્વિક તણાવ અને ટ્રમ્પની આર્થિક નીતિઓને એક મોટો ખતરો ગણાવ્યો છે. તેમનું માનવું છે કે વૈશ્વિક નાણાકીય, રાજકીય અને ભૂ-રાજકીય વ્યવસ્થા તૂટી રહી છે.

1930ના દાયકામાં ખતરાની ઘંટડી વાગી
અબજોપતિ રોકાણકાર રે ડાલિયોએ અસ્થિરતાની તુલના 1930 ના દાયકા સાથે કરી અને કહ્યું કે આ તે સમયગાળા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે. નવી ટેરિફ નીતિઓ, અમેરિકાનું જંગી દેવું અને ચીન જેવી ઉભરતી વૈશ્વિક શક્તિઓ સાથેના તણાવને કારણે એવી કટોકટી સર્જાઈ શકે છે જે સામાન્ય મંદી કરતાં ઘણી વધુ ખતરનાક હશે. આ અત્યાર સુધીની સૌથી મોટી મંદીના સંકેત છે. કારણ કે 2024 ના અંત સુધીમાં, અમેરિકાનું દેવું GDP ના 121% સુધી પહોંચી જશે, જે 2008 માં 64% હતું. આવી સ્થિતિમાં, તેમણે ચેતવણી આપી હતી કે ચીન જેવા વિદેશી ધિરાણકર્તાઓ પર નિર્ભરતા વધશે. દેવાનો આ બોજ અર્થતંત્રને નષ્ટ કરી શકે છે. જો દેવું અને બજેટ ખાધ ઘટાડવા માટે કોઈ નક્કર યોજના બનાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય તણાવ અર્થતંત્રને વધુ ખરાબ કરશે
રે ડાલિયોએ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સમસ્યા ફક્ત અર્થતંત્ર પૂરતી મર્યાદિત નથી. આંતરિક સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય તણાવ વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી લશ્કરી સંઘર્ષ થઈ શકે છે. આનાથી માત્ર આર્થિક મંદીનું જોખમ જ નથી, પરંતુ તે સામાજિક અને વૈશ્વિક સ્થિરતાના સમગ્ર માળખાને પણ નષ્ટ કરી શકે છે.