Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Will 5G phones stop after 6G launch in India?

ભારતમાં 6G લૉન્ચ થયા બાદ શું 5G ફોન બંધ થઇ જશે? જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ભારતમાં 6G લૉન્ચ થયા બાદ શું 5G ફોન બંધ થઇ જશે? જાણો શું છે કારણ
ભારતમાં 6G માટેની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. માહિતી અનુસાર, 6Gની સ્પીડ 5G કરતા 100 ગણી વધારે હશે. આ સિવાય 6G નેટવર્ક ઉપકરણના બેટરી બેકઅપને પણ વધારશે. ભારતમાં 2030 સુધીમાં 6G નેટવર્ક શરૂ થશે, ત્યારબાદ નેટ સ્પીડ 100 ગણી ઝડપી થઈ જશે.
App Store
 
 
IIT-BHU ખાતે ભારત 6Gના મહાનિર્દેશક રાજેશ કુમાર પાઠકે કહ્યું કે 6G માટે ગામડાં કે શહેરોમાં મોટા ટાવર લગાવવામાં આવશે નહીં. આ માટે શહેરથી ગામડાં સુધી ઇલેક્ટ્રિક થાંભલાઓ પર તેના શેલ લગાવવામાં આવશે.
 
જાણકારી અનુસાર, આ શેલ્સ સંપૂર્ણપણે સેન્સર બેઝ પર કામ કરશે. તેનું વજન પણ લગભગ 8 કિલો હશે. રાજેશ કુમાર પાઠકે જણાવ્યું કે ભારતમાં વર્ષ 2030 સુધીમાં 6G લોન્ચ કરવામાં આવશે. 6G લોન્ચ કરવાના મામલે ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે.
 
IT નિષ્ણાતો સતત 6G વિશે વિચાર-મંથન કરી રહ્યા છે. એટલું જ નહીં આ શેલ્સ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી. ડાયરેક્ટર જનરલ રાજેશ કુમાર પાઠકે જણાવ્યું કે 6જી નેટવર્કમાં પણ સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.
 
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી લોકો એકબીજા સાથે વાત પણ કરી શકશે. મોબાઈલ ફોનની બેટરી 6G નેટવર્કમાં વધુ બેકઅપ પણ આપશે. કારણ કે આ નેટવર્ક સંપૂર્ણપણે સેન્સર બેઝ હશે. જ્યારે તમે ઉપકરણ પર કોઈ કામ કરશો ત્યારે જ તે સક્રિય રહેશે અન્યથા તે સ્લીપ મોડમાં જશે.
 
ઘણા લોકોને લાગે છે કે 6G દાખલ થયા પછી 5G ફોન કામ કરશે નહીં. માહિતી અનુસાર, 6G આવ્યા પછી પણ 5G ફોન કામ કરશે અને તેને અપડેટ કરવામાં આવશે.