Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : What is black box which can reveal truth of plane crash

Ahmedabad Plane Crash / શું હોય છે બ્લેક બોક્સ? જે પ્લેન ક્રેશ વિશે આપી શકે છે સાચી માહિતી

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad Plane Crash / શું હોય છે બ્લેક બોક્સ? જે પ્લેન ક્રેશ વિશે આપી શકે છે સાચી માહિતી

ગુરવારે અમદાવાદમાં એર ઈન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. ડ્રીમલાઈનર પ્લેનમાં 242 મુસાફરો હતા. પ્લેને 1:38 મિનિટે ઉડાન ભરી હતી અને માત્ર 2 મિનિટમાં 1:40 વાગ્યે ક્રેશ થયું. DGCA એ આ પ્લેન ક્રેશની તપાસ માટે એક ટીમ મોકલી છે. ચાલો તમને જણાવીએ કે બ્લેક બોક્સ શું છે, જે પ્લેન ક્રેશ વિશે સાચી માહિતી આપી શકે છે.

App Store

બ્લેક બોક્સ શું છે?

બ્લેક બોક્સને પ્લેનમાં ફ્લાઈટ રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. તે ઓરેન્જ કલરનું ઉપકરણ છે, જેમાં ફ્લાઈટ સંબંધિત ડેટા અને કોકપીટ ઓડિયો રેકોર્ડ કરવામાં આવે છે.

ખાસ વાત એ છે કે તે મહત્તમ તાપમાનનો સામનો કરવા માટે રચાયેલ છે. જેથી જ્યારે તેની તપાસ કરવામાં આવે ત્યારે તે તપાસકર્તાઓને અકસ્માતની પરિસ્થિતિઓને સમજવામાં મદદ કરી શકે. બ્લેક બોક્સમાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપીટ વોઈસ રેકોર્ડર (CVR) શામેલ છે.

કલર ઓરેન્જ છે, તો બ્લેક બોક્સ કેમ કહેવામાં આવે છે?

હવે પ્રશ્ન એ છે કે જો તે ઓરેન્જ કલરનું છે તો તેને બ્લેક બોક્સ કેમ કહેવામાં આવે છે. આ એક ઐતિહાસિક ઉપનામ છે. શરૂઆતના ફ્લાઈટ રેકોર્ડર્સ બ્લેક કલરના હતા, પરંતુ પછીથી તેને ઓરેન્જ કલરના બનાવવાનું શરૂ થયું. જેથી અકસ્માતની સ્થિતિમાં તેમને સરળતાથી ઓળખી શકાય, ખાસ કરીને કાટમાળ અથવા સમુદ્રમાં.

આ તેની ક્ષમતા છે

બ્લેક બોક્સમાં ભારે આંચકાઓ તેમજ 6 હજાર મીટર સમુદ્ર, 1100 ડિગ્રી સેલ્સિયસ સુધી આગનો સામનો કરવાની ક્ષમતા છે. ખાસ વાત એ છે કે તે અકસ્માત પછી 30 દિવસ સુધી સિગ્નલ મોકલવાની ક્ષમતા ધરાવે છે. આનાથી ખબર પડશે કે વિમાનમાં શું ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઈમરજન્સીની સ્થિતિમાં પાયલોટે શું કર્યું. બ્લેક બોક્સને રિકવર કર્યા પછી, તેનું એનાલિસિસ કરવામાં આવશે. બ્લેક બોક્સમાંથી જ વિમાનની ચોક્કસ ઊંચાઈ, ગતિ અથવા એન્જિન જાણી શકાશે. આ સાથે, વિમાનની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે. જેરહી વિમાનના ભાગોનો ફોરેન્સિક અભ્યાસ કરવામાં આવશે.

અકસ્માત કેવી રીતે થયો?

ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. અમદાવાદથી ઉડાન ભરતાની સાથે જ તે મેઘાણીનગરમાં અચાનક ક્રેશ થઈ ગયું. આ વિમાન બોઈંગ 787 ડ્રીમલાઈનર (ફ્લાઈટ નંબર AI-171) હતું. તેમાં 242 લોકો સવાર હતા. તે સમય અને અકસ્માત પછીના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વિમાન ઉડાન ભરે છે અને થોડીવાર પછી એક બિલ્ડીંગ પાસે આગ લાગી જાય છે. પછી ધુમાડાના ગોટા નીકળવા લાગે છે.