GSTV
India News ટોપ સ્ટોરી

RBIના નવા બૉસની નિમણૂક, શક્તિકાંત દાસ પર ઉતારાઈ પસંદગી

સરકારે રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણુક કરી છે.  ઉર્જિત પટેલે આરબીઆઈ ગવર્નર પદેથી સોમવારે અચાનક રાજીનામુ આપી દીધું. તેમણે કહ્યું હતું કે અંગત કારણોસર તેમણે આ કદમ ઉઠાવ્યું છે. સ્વાયત્તતા અંગે આરબીઆઈ અને સરકાર વચ્ચે અનેક મહિનાથી તણાવ હતો. ફાઈનાન્સિયલ સિસ્ટમની ગરબડોને દૂર કરવાની આરબીઆઈની જીદથી પણ તકરાર વધી રહી હતી. શક્તિકાંત દાસને 3 વર્ષ માટે ગવર્નર બનાવવામાં આવ્યા છે. જે આરબીઆઈનાં 25માં ગવર્નર છે.

26 ફેબ્રુઆરી 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ તમિલનાડુ કૈડરના આઇ.એ.એસ. અધિકારી છે. નિવૃત્તિ પછી ભારતના 15માં નાણા સચિવ અને ભારતના શેરપા જી -20 ના સભ્ય હતા. તેમણે ભારતના આર્થિક બાબતોના સચિવ, ભારતના મહેસૂલ સચિવ તરીકે પણ કામ કર્યું છે.

સેન્ટ્રલ ઇકોનોમિક અફેર્સના સેક્રેટરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકો પૈકીના એક માનવામાં આવતા હતાં. ગત વર્ષના જી -20 માં આર્થિક બાબતોના વિભાગના પૂર્વ સચિવ શક્તિકાંત દાસને ભારતના શેરપા તરીકે નિમવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV