સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું કાલે 92 વર્ષની ઉંમરમાં નિધન થયુ, જેનાથી આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું. અમિતાભ બચ્ચનથી લઈ અનેક મોટા સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલી અર્પિત કરી. જ્યારે હવે નીતૂ કપૂરે લતા મંગેશકરને શ્રદ્ધાંજલી આપી છે.

હકીકતમાં નીતૂ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરી છે. તમે તસવીરમાં જોઈ અંદાજ લગાવી શકો છો કે, આ તસવીર બહુ જૂની છે અને આ એક બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેમા લતા મંગેશકરના ખોળામાં એક બાળક જોવા મળી રહ્યું છે. આ બાળક બીજું કોઈ નહીં પણ ઋષિ કપૂર છે. આ તસવીર પોસ્ટ કરતાં નીતુ કપૂરે કેપ્શનમાં લખ્યું કે, ‘સંપૂર્ણ રીતે ભાંગી ગઈ છું, તેમણે ઋષિ કપૂરને પોતાના ખોળામાં લીધા છે. સાથે જ તેમણે આ પોસ્ટ દ્વારા તેમના જવાની પીડા પણ વ્યક્ત કરી છે.
રવિવારે સાંજે અંદાજે 7.15 કલાકે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લતા મંગેશકરના પરિવાર અને મિત્રોએ તેમને અંતિમ વિદાય આપી. જ્યારે લતા મંગેશકરને તેમના ભત્રીજા આદિનાથ મંગેશકરે મુખાગ્ની આપી અને તેઓ તેમના ખૂબ જ નજીક હતા. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરની થોડા સમય પહેલા તબિયત લથડી હતી, જેના પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા અને પછી જીવન સામે લડતા હતા અને કાલે તેમણે દુનિયાને અલવિદા કહ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં