છેલ્લા એક વર્ષથી એફડી પર મળેલા રિટર્નથી સામાન્ય લોકો ખુશ નથી. એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટમાં ફક્ત 5થી 6 ટકાનું રિટર્ન મળી રહ્યું છે. એટલા માટે નિષ્ણાતો આ સમયે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સનો મોટો ફાયદો એ છે કે રિટર્ન ઇંફ્લેશન એટલે કે મોંઘવારીને હરાવી શકે છે.
10 હજાર રૂપિયા બની ગયા 14 લાખ રૂપિયા –
મ્યુચ્યુઅલની Principal Emerging Bluechip Fund સ્કીમે શાનદાર રિટર્ન આપ્યું છે. જો કોઈએ 6 મહિના પહેલા એટલે કે 21 ઓગસ્ટ 2020 ના રોજ 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આ સમયગાળા દરમિયાન રકમ વધીને 13083.80 રૂપિયા થઈ ગઈ હોત, એટલે કે 31 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે.

એ જ રીતે, 2 વર્ષમાં આ રકમ વધીને 14796.40 રૂપિયા થશે અને 5 વર્ષમાં આ વળતર 140.67% એટલે કે 10 હજાર રૂપિયાનું રોકાણ વધીને રૂ. 24066.70 થશે.
આ ફંડ 12 નવેમ્બર, 2008 ના રોજ શરૂ થયું હતું. ત્યારથી અત્યાર સુધી તે 1320 ટકા વળતર આપી ચુક્યુ છે એટલે કે 10 હજાર રૂપિયાની રકમ 13 વર્ષમાં વધીને 14 લાખ રૂપિયા થઈ ગઈ છે.
Principal Emerging Bluechip Fundમાં રોકાણ કરવું જોઈએ
નિષ્ણાંતોના મતે, આ ફંડ્સનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. તેના પોર્ટફોલિયોમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસીસ, રિલાયન્સ જેવી ટોચની પરફોર્મિંગ કંપનીઓના શેર છે.

આ સમયે મ્યુચ્યુઅલ ફંડ્સ એફડી કરતાં શા માટે વધુ સારા છે?
નિષ્ણાતોના મતે, જો કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, તો તે તેની બધી આર્થિક જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે છે.
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે માર્કેટ ડાઉન જાય તો તેમાં વધુ યુનિટ મળે છે અને બજારની વૃદ્ધિમાં આ યુનિટ પર સારી કિંમત મળી રહે છે. સાથે જ જો તમે આ રિટર્નની સરખામણી એક સાધારણ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે કરો છો, તો તમને જાણવા મળશે કે વ્યાજ એક સમાન મળતુ રહે છે.

20 વર્ષમાં 20 લાખ રૂપિયાનું ફંડ આ રીતે બનાવો
નિષ્ણાતો કહે છે કે કોરોના સમયગાળા દરમિયાન પણ એસઆઈપી બંધ ન હતી અને હવે તેનુ વધતુ રજીસ્ટ્રેશન જણાવે છે કે ભારતીય રોકાણકારો તેનું મહત્વ સમજી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ રિટર્ન આપવામાં અન્ય સંપત્તિ કરતાં વધુ સારું પ્રદર્શન દર્શાવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ એસઆઈપી રોકાણો પણ લોકપ્રિય થઈ રહ્યા છે.
કોરોના સમયગાળા દરમિયાન, બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ડીમેટ ખાતા ધારકો વધ્યા હતા. અને હવે એમએફમાં એસઆઈપી ખાતાની વૃદ્ધિ જણાવી રહી છે કે રોકાણકારો માર્કેટ વૃદ્ધિનો લાભ લેવાનું શીખી રહ્યાં છે.
એસઆઈપીની સૌથી મોટી ખાસ વાત એ છે કે તે દર મહિને માત્ર 500 રૂપિયાથી શરૂ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, જો કોઈ એસઆઈપી દ્વારા સતત 20 વર્ષ સુધી દર મહિને માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરે છે, તો 20 વર્ષમાં, તમે 20 લાખ રૂપિયા સુધીનું કોર્પસ જમા કરાવી શકો છો. તે જ સમયે, રિકરિંગ ડિપોઝિટમાં આવા રોકાણ ફક્ત 5-5.50 લાખ રૂપિયા સુધી જ જમા કરાવી શકાશે. નિર્ણય તમારો છે.

મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા આ રીતે લગાવો
તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પરથી સીધું જ રોકાણ કરી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝરની સેવાનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમે સીધુ રોકાણ કરો છો, તો તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરી શકો છો.
જો તમે કોઈ એડવાઇઝરની સહાયથી રોકાણ કરો છો, તો પછી તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરો છો. જો તમારે સીધુ રોકાણ કરવું હોય તો તમારે તે મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પર જવું પડશે.
તમે તમારા દસ્તાવેજો સાથે તેની ઑફિસ પણ જઈ શકો છો. મ્યુચ્યુઅલ ફંડના કોઇ ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે તમારે કમિશન ચૂકવવાની જરૂર નથી. તેથી, લાંબા ગાળાના રોકાણમાં તમારા રિટર્નમાં ઘણો વધારો થાય છે. આ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવામાં એક સમસ્યા એ છે કે તમારે જાતે રિસર્ચ કરવું પડશે.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં થતા તમામ ખર્ચને એક્સપેંસ રેશિયો કહેવામાં આવે છે. ખર્ચના ગુણોત્તરથી, તમે જાણશો કે મ્યુચ્યુઅલ ફંડના સંચાલનમાં યુનિટ દીઠ કિંમત કેટલો ખર્ચ આવે છે. સામાન્ય રીતે, ખર્ચ ગુણોત્તર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના સાપ્તાહિક નેટ એસેટની સરેરાશના 1.5-2.5 ટકા છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત