GSTV
India News Trending

Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી

મુંબઈમાં હિન્દુ સંગઠનોએ લવ જેહાદ અને ધર્મપરિવર્તન વિરોધી  કાયદો લાગુ કરવા માટે જંગી રેલી યોજાતાં એકનાથ શિંદે સરકાર ચિંતામાં છે.  આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ  સહીત અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરો સામેલ થયા હતા. તેના કારણે એકનાથ શિંદે જૂથમાં એવી ચર્ચા છે કે, ભાજપના ઈશારે આ રેલી યોજાઈ છે. ભાજપ શિંદે સરકાર પર દબાણ લાવીને ધાર્યું કરાવવા આ ખેલ કરી રહ્યા છે.

ભાજપ આ વાતને ખોટી ગણાવે છે. ભાજપના નેતાઓને દાવો છે કે, તમામ હિન્દુ સંગઠનો દેશભરમાં લવ જેહાદ અને ધર્મપરિવર્તન સામે કાયદો લાગુ કરવાની માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં મહારાષ્ટ્રમાં જ 40થી વધુ હિંદુ જનાક્રોશ રેલીઓ કાઢવામાં આવી છે. તેના ભાગરૂપે જ મુંબઈમાં રેલી નિકળી હતી.

આ રેલીમાં  મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા ઉપરાંત સરકારી જમીન પર અતિક્રમણ રોકવું ગેરકાયદેસર ઈસ્લામિક ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરીને લેન્ડ જેહાદ સામે પગલાં લેવા સહિતની માંગ કરવામાં આવી હતી.

Related posts

ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ

Kaushal Pancholi

Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ

Siddhi Sheth

નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ

Hina Vaja
GSTV