ચીતે કી ચાલ, બાજ કી નઝર ઔર ધોની કી રફ્તાર પર સંદેહ નહી કરતે, આ Video છે પુરાવો

ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર ધૂળ ચટાડનાર ભારતીય ટીમના મુગટમાં વધુ એક પીછૂં ઉમેરાઇ ગયું છે. પાંચ મેચની સીરીઝમાં રવિવારે રમાયેલી અંતિમ મેચ પોતાના નામે કરતાં ટીમ ઇન્ડિયાએ સીરીઝ 4-1થી જીતી લીધી છે.
વેલિંગ્ટનમાં રમાયેલી આ વન ડેમાં ભલે ધોની બેટિંગમાં એટલી કમાલ ન દેખાડી શક્યાં હોય પરંતુ ફરી તેમણે સાબિત કરી દીધું છે કે તે ટીમના સૌથી મોટા મેચ વિનર છે. ટીમમાં તેની શું ભુમિકા છે કે કોઇનાથી છુપુ નથી.
બેટિંગમાં નિષ્ફળ રહ્યાં છતાં તેમણે વિકેટ પાછળ રહીને તે સમયે એવી સ્ફૂર્તિ દેખાડી જ્યારે જ્યારે ટીમને તેમની સૌથી વધુ જરૂર હતી. ન્યૂઝીલેન્ડે મેચ ભલે 35 રનથી ગુમાવી હોય પરંતુ એક સમયે મુકાબલો ટક્કરનો હતો.
ક્રીઝ પર યજમાન ટીમ તરફથી જેમ્સ નીશામ અને મિચેલ સેંટનર ટીમ ઇન્ડિયાને સખત ટક્કર આપી રહ્યાં હતા. બંને વચ્ચે 41 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઇ હતી. ટીમ ઇન્ડિયાને હવે વિકેટની જરૂર હતી. રોહિતના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો.
પોતાના બોલરોની ધોલાઇ થતાં જોઇને રોહિતે કેદાર જાધવ પર વિશ્વાસ મુક્યો. 36મી ઓવરમાં એક રન લીધા બાદ સેંટનરે નીશામને સ્ટ્રાઇક આપી. બીજા બોલ પર નિશામે સ્વીર રમવાનો પ્રયાસ કર્યો. બોલની લાઇનને તે મિસ કરી ગયો અને બોલ સીધા તેના પેડ પર વાગ્યો. આ સાથે જ ધોની અને જાધવ LBW આઉટની અપીલ કરવા લાગ્યા.
ધોની બોલને પોતાના ગ્લવ્સમાં કલેક્ટ કરી શક્યો ન હતો તેથી નિશામને લાગ્યું કે ધોનીનું ધ્યાન અપીલમાં છે જ્યારે ધોની અપીલ કરવાની સાથે બોલ તરફ જઇ રહ્યો હતો.
ThaLa FoR a ReAsoN😎 #INDvsNZ #Dhoni pic.twitter.com/Fzap4I3gNV
— Gopinath (@gopi_toRnados18) February 4, 2019
જાધવ અને ધોનીની અપીલનો અમ્પાયર પર કોઇ પ્રભાવ જોવા ન મળ્યો અને અમ્પાયરે આ આપીલ ઠુકરાવી દીધી. આ વચ્ચે નીશામ ચતુરાઇ દર્શાવવા માગતો હતો અને તે રન લેવા તરફ આગળ વધ્યો. નૉન સ્ટ્રાઇક પર રહેલા સેંટનરે નિશામને રોક્યો પરંતુ જ્યાં સુધી નિશામ કંઇ સમજી શકે તે પહેલા ધોનીએ ચતુરાઇ દર્શાવી નિશામના ક્રીઝની બહાર જતાં જ ગિલ્લીઓ ઉડાવી દીધી અને રન આઉટની અપીલ કરી. તે પછી થર્ડ અમ્પાયરે અડધી સદી તરફ આગળ વધી રહેલા નીશામને આઉટ ઘોષિત કર્યો.
Never leave your crease with MS Dhoni behind the stumps! https://t.co/RoUp4iMpX6
— ICC (@ICC) February 3, 2019
ધોનીની આ સ્ફૂર્તિને જોઇને આઇસીસીએ પણ ટ્વિટ કર્યુ કે, જ્યારે ધોની ક્રીઝની પાછળ હોય ત્યારે ભૂલથી પણ ક્રીઝ ન છોડો.
જણાવી દઇએ કે પાંચ વનડેની સીરીઝ પોતાના નામે કર્યા બાદ ભારતીય ટીમનો ટાર્ગેટ 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની ટી-20 સીરીઝ પણ પોતાના નામે કરવા પર હશે.
Read Also
- આ યુનિવર્સીટીના વિદ્યાર્થીએ સ્ટેટસમાં લખ્યું ‘પાકિસ્તાન જીંદાબાદ’, ભડકેલી ભીડે ક્યાયનો ના રાખ્યો
- કુંભમાં છવાયેલી છે આ મહિલા અઘોરી, ક્યારેક સૉફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી
- જ્યારે સાથી જવાનોને શહીદ કુલવિંદરની ઓળખ સગાઈની વીટીથી કરવી પડી
- નવજોત સિંહ સિદ્ધુ વિરૂદ્ધ ઉઠ્યા નારા, ‘પાકિસ્તાન ચાલ્યા જાવ’
- આતંકના આ ચાર આકાઓને સાફ કરી નાખો, તો આતંકનું કામ તમામ થઈ જશે