GSTV
Gir Somnath ગુજરાત

અનામતમાં સમાવેશની માંગણી સાથે દેવીપુજક સમાજના 500થી વધુ ભાઇઓ તથા બહેનોએ ઉતાર્યો ભાજપનો ખેસ

સરકાર દ્વારા ગરીબ પછાત જનજાતીઓને ભારતના બીજા બધા રાજ્યોમા SC અને STમાં સમાવેશ કરાયો છે.

તેથી બીજા રાજયોમાં ગરીબ જનજાતીઓને ન્યાય મળે છે, અખીલ ભારતીય આદીમ મહાસંઘ દ્વારા દેવીપુજક સમાજને પણ અનામતનો લાભ મળે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ પરંતુ હજુ પણ પડતર છે જેથી ગુજરાત ભરમાંથી ભાજપમાં જોડાયેલ કાર્યકર્તાઓ પોતપોતાના જીલ્લામાં ભાજપનો ખેસ ઉતારવાનો કાર્યક્રમ કરાયો છે.

જે અંતર્ગત ગીરસોમનાથ જીલ્લા દેવીપુજક સમાજના પ્રમુખ નાનજી પરમારની આગેવાનીમાં 500થી વધુ ભાઇઓ તથા બહેનોએ વેરાવળ બાયપાસ ચોકડી પર સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રોડ પર ભાજપના ખેસ ઉતારી રોડ ચક્કાજામ કર્યો. આવનારા સમયમાં સમાજની માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Related posts

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Nakulsinh Gohil

સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ

Pankaj Ramani

સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી

Pankaj Ramani
GSTV