GSTV
Morabi ગુજરાત ટોપ સ્ટોરી

મોરબી પુલ દુર્ઘટના / સેશન્સ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી, કર્યા જેલ હવાલે 

મોરબીની દુર્ઘટના કેસની સુનાવણી બાદ 8 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે. ઝૂલતા પૂલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવ કંપનીના મેનેજર સહિત 8 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. જો કે 1 આરોપીની જામીન અરજી પેન્ડીંગ  રાખવામાં આવી છે. 135 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં કોર્ટે આરોપીઓને જામીન નામંજૂર કર્યા તેમજ તમામને જેલ હવાલે કરાયા છે.

ગઈકાલે મોરબી પોલીસ દ્વારા મોરબીની કોર્ટમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઇ ગયા હતા. સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ ન્‍હોતી અપાઇ, તેઓ લેબર કોન્‍ટ્રાકટર જ હતા. મોરબી બ્રિજ તૂટવાની ઘટનાના દિવસે  3165 ટિકિટ ઈશ્યુ કરવામાં આવી હતી. 

READ ALSO

Related posts

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan

ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા

Moshin Tunvar

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan
GSTV