મોરબીની દુર્ઘટના કેસની સુનાવણી બાદ 8 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે. ઝૂલતા પૂલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવ કંપનીના મેનેજર સહિત 8 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. જો કે 1 આરોપીની જામીન અરજી પેન્ડીંગ રાખવામાં આવી છે. 135 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં કોર્ટે આરોપીઓને જામીન નામંજૂર કર્યા તેમજ તમામને જેલ હવાલે કરાયા છે.

ગઈકાલે મોરબી પોલીસ દ્વારા મોરબીની કોર્ટમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઇ ગયા હતા. સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ ન્હોતી અપાઇ, તેઓ લેબર કોન્ટ્રાકટર જ હતા. મોરબી બ્રિજ તૂટવાની ઘટનાના દિવસે 3165 ટિકિટ ઈશ્યુ કરવામાં આવી હતી.
READ ALSO
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ
- સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી