90 દિવસમાં મથુરામાં 100થી વધુ વાંદરાઓનું અવસાન થયું. બે કે ત્રણ વાંદરાઓના મૃત્યુ પર ધર્મના શહેર મથુરામાં પડઘો પડી ગયો છે. લોકોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ. શરૂઆતમાં તો કોઈ વાંદરાઓના મોતને ગંભીરતાથી લેતા નહોતા. પરંતુ પાછળથી વાંદરાઓના પોસ્ટમોર્ટમ પર ધ્યાન દેવા માટે સિકિત્ચા વિભાગને આદેશ આપવામાં આવ્યો હતો. તો એવું જાણવા મળ્યું હતું કે પાણીની અછતને લીધે વાંદરાઓ મર્યા છે.
પરંતુ ફેબ્રુઆરીમાં પાણીની કોઈ તંગી નહોતી. એટલે આ વાત ગળે ન ઉતરી. આ સોશિયલ વર્કર દીપક પરાશરે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. તે જ સમયે રાષ્ટ્રપતિ, પીએમ, યુપી મુખ્યમંત્રી અને જીવ-જીલ્લા સંરક્ષણ બોર્ડે આ બાબતે પત્ર મોકલ્યો. ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે કાર્યવાહી તરફ ધ્યાન આપ્યું. અને મૃત વાંદરાઓની તપાસ માટે ફોરેન્સિક વિજ્ઞાન લેબ (એફએસએલ), આગ્રા માટે મોકલવામાં આવ્યાં હતા.
તાજેતરમાં જ એફએસએલએ તેનો રિપોર્ટ એડમિનિસ્ટ્રેશનને મોકલ્યો છે. અહેવાલમાં વાંદરાઓના મૃત્યુનું કારણ ઝેર હોવાનું કહેવાય છે. અહેવાલ પરથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે વાંદરાઓને આટાની સાથે ઝેરનું મિશ્રણ આપવામાં આવે છે અને ઝેર પેટમાં જાય છે. જાણકારો કહે છે કે આ ઝેર ખાધા પછી ફૂલ તરસ લાગે છે. અને પેટમા બળવાનું શરૂ થાય છે. તેમજ થોડી વારમાં મૃત્યુ પામે છે.
READ ALSO
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ
- સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ
- અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી
- આ ગામના બધા ઘરના દરવાજા લીલા છે, દરેકને આ વિચિત્ર નિયમનું પાલન કરવું પડે છે, પરિવર્તનને સ્વીકારતા નથી અહીંના લોકો
- અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની ગોળી મારી હત્યા, હત્યારાએ હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા