બજેટમાં સરકારે સાત મુદ્દા પર ધ્યાન આપ્યું છે.આ સાત મુદ્દાને સપ્તર્ષી સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ અમૃતકાળ તરીકે ઉજવાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને સાત ક્ષેત્રને સરકારે પ્રાથમિકતા આપી છે. આ સાત વિષયમાં સૌનો વિકાસ, છેલ્લા વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવો, માળખાકિય સુવિધા અને રોકાણ, પર્યાવરણનો વિકાસ, યુવા શક્તિ અને નાણાકિય ક્ષેત્ર પર ધ્યાન આપવાનો સમાવેશ થાય છે. અલબત્ત, સરકારે જાહેરાત કરી અને દાવા કર્યા પણ કેટલો અમલ કરી શકે એ સૌથી મહત્વનો સવાલ છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24 માટેનું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. તેમના સંબોધનમાં, નાણામંત્રીએ બજેટ 2023-24ની સાત મુખ્ય પ્રાથમિકતાઓ ગણાવી હતી. આમાં સમાવેશી વૃદ્ધિ, છેલ્લા માઈલ સુધી પહોંચવું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, સુસુપ્ત પડેલી ક્ષમતાઓ ઉજાગર કરવી, ગ્રીન ગ્રોથ, યુવા અને નાણાકીય ક્ષેત્ર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બજેટની આ સાત પ્રાથમિકતાઓ છે… જે સપ્તર્ષિની વિભાવના પર આધારિત છે અને આ પ્રાથમિકતાઓના આધારે આ બજેટ બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા હાંસલ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે કૃષિ ક્ષેત્રને ઝડપી બનાવવા માટે એક અલગ ફંડ બનાવવામાં આવશે અને નવી ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવશે.
સપ્તર્ષિની જેમ આ બજેટમાં સાત પ્રાથમિકતાઓ
- સર્વગ્રાહી વિકાસ
- છેલ્લા માઇલ સુધી પહોંચવું
- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ
- ક્ષમતાઓને ઉજાગર કરવી
- ગ્રીન ડેવલપમેન્ટ
- યુવા
- નાણાકીય ક્ષેત્ર
નાણામંત્રીના જણાવ્યા અનુસાર, સરકારની સબકા સાથ સબકા વિકાસ નીતિથી મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી અને અન્ય વંચિત જૂથો સહિત અનેક વર્ગોને ફાયદો થયો છે. ઓપન સોર્સ, ઓપન સ્ટાન્ડર્ડ અને ઇન્ટરઓપરેબલ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કૃષિને ફાયદો થશે. એક્સિલરેટર ફંડની સ્થાપના દ્વારા કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત, કૃષિ પદ્ધતિઓ બદલવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવશે.
અમૃત કાલનું પ્રથમ બજેટ
નાણામંત્રીએ કહ્યું કે અમૃત કાળનું આ પહેલું બજેટ છે. તે ભારતના અર્થતંત્ર માટે એક વિભક્તિ બિંદુના રૂપમાં રજૂ કરવામાં આવશે. સીતારમણે કહ્યું, “અમૃત કાલનું આ પહેલું બજેટ છે. દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતા સિતારા તરીકે ઓળખી છે. અમૃત કાલ ભારતની આઝાદીની શતાબ્દી સુધીના આગામી 25 વર્ષને સંદર્ભિત કરે છે. આ સમયગાળાને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે જ્યાં ભારત એક વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં