દેશના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને એેવો દાવો કર્યો હતો કે દેશના 97 ટકા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધા પહોંચી ચૂકી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયસરના પગલાને કારણે આપણે અન્ય દેશોની તુલનાએ કોરોનાના ફેલાવા પર સારો એવો કાબુ મેળવી શક્યા હતા.

આપણે આખી દુનિયા સાથે આપણા રોજેરોજના આંકડા શૅર કરીએ છીએ
એક અંગ્રેજી અખબારે યોજેલા પરિસંવાદમાં પૂછાયેલા સવાલના જવાબમાં બોલતાં તેમણે કહ્યું કે આપણે લીધેલાં પગલાંની નોંધ દુનિયાભરના દેશોએ લીધી હતી અને આપણા પ્રયાસોને બિરદાવ્યા હતા. અન્ય દેશોની તુલનાએ આપણે ત્યાં મૃત્યુદર ઓછો હોવાનું કહેવાય છે. એવું શાથી કહેવાય છે એવા સવાલનો જવાબ આપતાં ડૉક્ટર હર્ષવર્ધન થોડા નારાજ જણાયા હતા. તેમણે કહ્યું કે તમારો સવાલ યોગ્ય નથી. આપણે ત્યાં વાસ્તવમાં મૃત્યુદર ઓછો છે. આપણે આખી દુનિયા સાથે આપણા રોજેરોજના આંકડા શૅર કરીએ છીએ.

સરકાર આંકડા છૂપાવી રહી છે એમ માનવું યોગ્ય નથી
સરકાર આંકડા છૂપાવી રહી છે એમ માનવું યોગ્ય નથી. આંકડામાં ગોલમાલ નહીં જ થતી હોય એવું હું નથી કહેતો પરંતુ મારી જાણ મુજબ ભારત પૂરેપૂરી ઇમાનદારીથી કોરોના વિશેના આંકડા રજૂ કરતું રહ્યું છે. એક લેબોરેટરીથી શરૂ થયેલો કોરોના ટેસ્ટ આજે બે હજાર એકસો ત્રીસ લેબોરેટરી સુધી પહોંચ્યો હતો અને આપણે આજે રોજના સરેરાશ દસ લાખ લોકોના ટેસ્ટ કરી રહ્યા છીએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સરકાર કાલે રજુ કરશે 125 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે અને શું છે કારણ…
- તમારા કામનું/ 1 ફેબ્રુઆરીથી જનતાને મળશે રાશનની હોમ ડિલીવરી, શરૂ થઇ આ ખાસ સુવિધા
- આનંદો/ ખુલ્લા મેદાનમાં યોજાતા લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત, રૂપાણી સરકારની મોટી જાહેરાત
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!