Last Updated on September 24, 2020 by pratik shah
બે ટંકનું ભોજન-વસ્ત્ર અને મકાન દરેક વ્યક્તિ માટે પાયાની જરૃરિયાત છે. પરંતુ ગુજરાતના શહેરોમાંથી ૩૫,૨૯૩ લોકો એવા છે જેમની પાસે રહેવા માટે ઘર જ નથી અને ‘ઉપર આભ નીચે ધરતી’ જ તેમના માટે આશ્રયસ્થાન છે. ઉલ્લેખનીય છે કે કયા રાજ્યના શહેરોમાં લોકોના માથે છાપરાની પણ વ્યવસ્થા નથી તેના અંગે થર્ડ પાર્ટી સર્વે હાથ ધરાયો હતો. અત્યારસુધી ૨૨ રાજ્યો દ્વારા સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે. જેના અનુસાર ૨૨ રાજ્યોના શહેરોમાંથી ૨,૦૭,૮૪૭ વ્યક્તિ ઘરવિહોણી છે.
‘ઉપર આભ નીચે ધરતી’ જ તેમના માટે આશ્રયસ્થાન

દેશમાં બીજા નંબરે રાજ્ય
હાલ જે ૨૨ રાજ્યોમાં આ સર્વે કરાયો છે તેના અનુસાર રાજસ્થાનના શહેરોમાંથી સૌથી વધુ ૩૯,૫૧૨ લોકો ઘરવિહોણા છે જ્યારે ગુજરાત ૩૫,૨૯૩ સાથે બીજા સ્થાને છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાંથી ૨૮,૪૦૯, હરિયાણામાંથી ૧૯,૦૧૫, તામિલનાડુમાંથી ૧૪,૦૪૦, ઓડિશામાંથી ૧૩,૬૫૧, આંધ્ર પ્રદેશમાંથી ૧૧,૧૭૩, છત્તીસગઢમાંથી ૧૦,૨૧૬, બિહારમાંથી ૧૦,૨૫૩ વ્યક્તિ ઘરવિહોણા છે.

ગુજરાતના કયા શહેરમાં કેટલા લોકો ઘરવિહોણા છે તે અંગે કોઇ યાદી જારી કરવામાં આવેલી નથી. અલબત્ત, ગુજરાતમાંથી ૩૫ હજારથી વધુ લોકોના ઘરવિહોણા હોવાનો આંકડો દર્શાવે છે કે વિકાસનો દાવો ભલે કરવામાં આવતો હોય પણ વાસ્તવિક સ્થિતિ તદ્દન ભીન્ન છે. દિલ્હી, મહારાષ્ટ્રમાંથી પણ ઘરવિહોણાનો આંકડો ઊંચો હોવાનું મનાય છે પણ હજુ તેની વિગતો જારી કરવામાં આવી નથી.

READ ALSO
- કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો
- મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?
- નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ
- યુએએન નંબર નથી, ચિંતા કરશો નહીં, આ રીતે પણ પૈસા પણ ઉપાડી શકો છો તમારા પીએફ એકાઉન્ટમાંથી
- હવે આ રીતે 18 વર્ષથી ઉપરના પણ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
