મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણ વચ્ચે એનસીપીના કલવણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નીતિન પવાર ગુમ થઈ ગયા છે. ધારાસભ્યના પુત્રએ નાસિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં પિતા ગુમ થયા હોવાની ફરિયાદ પણ નોંધાવી છે. ધારાસભ્ય નીતિન પવાર 23મી નવેમ્બરે સવારે સાડા છ વાગ્યાની આસપાસ મુંબઈ જવા રવાના થયા હતા જે બાદથી તેઓ ઘરે પરત નથી ફર્યા.
નીતિન પવાર સહિત 3 ધારાસભ્યોના ફોનનો હજુ પણ સંપર્ક નથી સધાયો. એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે મીટિંગ બાદ તમામ ધારાસભ્યોને બસથી પવઈની એક હોટલ માટે રવાના કરી દીધા હતા. તમામ પક્ષ હોર્સ ટ્રેડિંગના ડરથી પોતપોતાના ધારાસભ્યોને બચાવવાની કવાયત કરી રહી છે.
મહારાષ્ટ્રમાં જોવા મળતા રાજકીય ડ્રામા અંતર્ગત એનસીપીની શનિવારે સાંજે બેઠક મળી હતી જેમાં અજીત પવાર પર અનુશાસનાત્મક કાર્યવાહી કરતા પાર્ટીએ તેમને ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી, તેમના સ્થાને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલને ચૂંટવામાં આવ્યા છે.
READ ALSO
- રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર
- મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ