ફાર્મા કંપનીઓ માટે દવાઓના પેકેટ પર હવે તેના સાઈડ ઈફેક્ટ્સ લખવા જરૂરી થઈ ગયા છે. દવાના સાઈડ ઈફેક્ટ્સ પર થયેલા એક રિસર્ચ બાદ કેન્દ્રિય ડ્રગ કન્ટ્રોલ વિભાગે ફાર્મા કંપનીઓને આ આદેશ આપ્યો છે. ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશનના વૈજ્ઞાનિકોએ દવાઓ પર કરેલાં રિસર્ચ બાદ જાણ્યુ છેકે, એન્ટિબાયોટિક્સ, આર્થરાઈટિસ અને ડિપ્રેશન જેવી બિમારીઓની દવાઓથી થતાં સાઈડ ઈફેક્ટ ખૂબજ નુકસાનકારક હોય છે.
આ રિસર્ચના આધારે ડ્રગ કંન્ટ્રોલરે દવા બનાવતી કંપનીઓને દવાથી થતા સાઈડ ઈફેક્ટ્સને પેકેટ પર લખવાનો આદેશ આપ્યો છે. જેથી દવાના ઉપયોગ દરમ્યાન લોકો સાવધાન રહે. કેન્દ્રિય ડ્રગ કન્ટ્રોલરે નો યોર મેડિસિનની ઝુંબેશ હેઠળ 7 પ્રકારની દવાઓ અને તેમના દ્વારા બનાવાતી સેંકડો બ્રાન્ડ્સને લઈને જાગૃતિ ફેલાવવાની તૈયારી કરી છે.
જેમકે, સેફોટૈક્સિમ, સેફિએગ્ઝાઈમ જેવી એન્ટીબાયોટિક્સ ખાવાથી સ્કિન એલર્જી થઈ શકે છે. તો સાથે જ આર્થરાઈટિસ અને માઈગ્રેનની અમુક દવાઓથી સ્કિનની તકલીફો થઈ શકે છે.ઉલ્લેખનીય છેકે, છેલ્લાં 5 વર્ષમાં દેશમાં દવા ખાવાના કારણે થતા સાઈડઈફેક્ટ્સની બાબતોમાં 150 ટકા જેટલો વધારો નોંધાયો છે.
Read Also
- દેશે સૌર ઉર્જા ક્ષમતામાં કર્યો ઝડપી વિકાસ, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સૌર ક્ષમતામાં ત્રણ હજાર મેગાવોટથી વધુનો થયો વધારો
- ઉનાળાની રજાઓમાં ટ્રેનમાં મુસાફરી બનશે સરળ, આ રેલવેએ મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવા લીધો મોટો નિર્ણય
- બિસ્તરા બોરિયા બાંધશે! / સેમસંગ આપશે મોટો ઝાટકો, ભારતમાં આ મોબાઈલ ફોનના મેન્યુફેક્ચરિંગ-બિઝનેસ પર લગાવશે રોક
- Business Idea: આ ખાસ વ્યવસાયથી મેળવી શકશો 5 ગણો નફો! આજે જ શરૂ કરો, જાણો કેવી રીતે થશે લાખોની કમાણી
- સ્પાઇસજેટના સિસ્ટમ પર થયો સાયબર અટેક, કેટલીક ફ્લાઈટ મોડી પડતા મુસાફર થયા પરેશાન