એમડીએચ ગ્રુપના માલિક મહાશય ધરમપાલ ગુલાટીનું નિધન થયું છે. તેમણે માતા ચેન્નન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 98 વર્ષીય મહાશય ધરમપાલ બીમારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી માતા ચાન્નાન હોસ્પિટલમાં દાખલ હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મહાશય ધરમપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું. આજે સવારે 5.38 વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા.

ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાંથી એક મહાશય ધર્મપાલજીના નિધનથી મને દુખની અનુભૂતિ થઇ
મસાલા કિંગ ધર્મપાલના નિધન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાંથી એક મહાશય ધર્મપાલજીના નિધનથી મને દુખની અનુભૂતિ થઇ છે. નાના બિઝનેસથી શરૂઆત કરવા છતાં તેમણે પોતાની એક ઓળખ બનાવી. તે સામાજિક કાર્યોમાં ઘણા સક્રિય હતાં અને અંતિમ સમય સુધી સક્રિય રહ્યાં. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.

પાકિસ્તાનથી આવ્યા હતા ભારત
મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને અહીંથી તેમના વ્યવસાયનો પાયો નખાયો હતો. કંપનીની શરૂઆત શહેરમાં એક નાનકડી દુકાનથી થઈ. જેને તેમના પિતાએ ભાગલા પહેલા શરૂ કરી હતી. જો કે 1947માં દેશના ભાગલા પડી જતા તે વખતે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.

પદ્મભૂષણથી કરાયા હતાં સન્માનિત
ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.ધર્મપાલ ગુલાટી જાહેરાતની દુનિયામાં સૌથી ઉંમરલાયક સ્ટાર અને મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક છે. ક્યારેય ઘોડાગાડી ચલાવીને ગુજરાન ચલાવવા મજૂબર આ વ્યક્તિ આજે 2000 કરોડ રૂપિયાના બિઝનેસ ગૃપનો માલિક હતો.

બપોરે બે વાગે ધર્મપાલ ગુલાટીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ધર્મપાલ ગુલાટી એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ) સેક્ટરમાં સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ છે. એટલુ જ નહીં ગયા વર્ષ ગણતંત્ર દિવસના પ્રસંગે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
READ ALSO
- હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું
- આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ
- જલ્દી કરો/ આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, કોરોના સંકટના સમયમાં પણ કરી શકો છો પોતાના ઘરનું સપનું પૂરું
- રોકાણકારોને ચૂનો લગાડનાર કંપની સામે ઇડીનું એક્શન, દાખલ કરી મની લોન્ડરિંગની ચાર્જશીટ
- ‘પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા’: વ્હોટ્સ એપ દ્વારા પરીક્ષાના પ્રારંભે જ આવી ખામી, માત્ર 36 હજાર વિદ્યાર્થીઓ જોડાઈ શકાયા