GSTV
India News Trending

દેશમાં ઘટી ગયો છે માતાઓનો મૃત્યુદર, પરંતુ પોતાના લક્ષ્યથી કેટલું દૂર છે ભારત

દેશમાં માતાઓનું મૃત્યુદર ઘટી ગયો છે. 2014 અને 16 માં પ્રતિ લાખ બાળકોના જન્મ ઉપર 130 માતાઓના મૃત્યુ થતા હતા જ્યારે 2018 થી 20 દરમ્યાન પ્રતિ લાખ બાળકોના જન્મ દરમિયાન 97 માતાઓના મૃત્યુ થયા હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ સુધારણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલા આરોગ્ય ક્ષેત્રનાં નિર્ણય અને સુધારાઓને આ બાબતનો શ્રેય આપ્યો છે.

ભારતમાં 2018 થી 20 માં માતાઓનું મૃત્યુદર એ માતાઓ અને બાળકોના આરોગ્યને માપવાનો એક આધાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા માતૃ મૃત્યુ એક મહિલાની ગર્ભાવસ્થા દરમિયાન અથવા ગર્ભપાતના 42 દિવસોની અંદર થાય છે. આ ગર્ભાવસ્થા અથવા તેને સંબંધિત કોઈપણ કારણોથી માતાનું મૃત્યુ થઈ શકે છે. જોકે ભારતમાં હવે માતાઓનો મૃત્યુ ઓછા થાય છે એ સારી વાત છે પરંતુ હજી વિદેશની તુલનાએ ભારત ઘણું પાછળ છે.

આ બાબતે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, માતાઓના મૃત્યુદરમાં ઘટાડો થયો છે જે બાબત મોદી સરકારની આરોગ્ય ક્ષેત્રમાં એક સિદ્ધિ સમાન છે. ઉલ્લેખનીય છે કે એસ ડી જી માં વૈશ્વિક માતૃ મૃત્યુદર એક લાખ બાળકોએ 70 માતાઓના મૃત્યુદરનો લક્ષ્યાંકન નિશ્ચિત કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV