GSTV
Business Trending

શેરબજારના અંતિમ દિવસે તેજી / અમેરિકન બેકોંના તાળાનું ભારતીય બજારમાં સંકટ ઓસર્યું?, રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો

અમેરિકામાં એક પછી એક બેંકોને તાળા લાગતા વિશ્વમાં ફરી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે પરિણામે જેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી જોકે, આજે બજારના અંતિમ દિવસે શુક્રવારે માર્કેટ તેજી જોવા મળી હતી જેના પગલે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેન્સેક્સમાં આજે 350થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 58,000ની નજીક બંધ થયો હતો. નિફ્ટી પણ ઉછાળા સાથે બંધ થઈ હતી.

આજે ભારતીય બજારમાં માર્કેટ અંતિમ દિવસે લીલા નિશાને બંધ થયું છે. બજાર બંધ થવા સુધીમાં 355 અંકોના ઉછાળા સાથે સેન્સેક્સ 57989 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં 114 પોઈન્ટના વધારા સાથે 17,100 પર બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

બજારમાં તેજીના પગલે રોકાણકારોની સંપત્તિમાં શાનદાર ઉછાળો આવ્યો છે. શેરબજારમાં આવેલી તેજીના પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 257.59 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે જે ગુરૂવારે રૂપિયા 256.21 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.38 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV