કોર્ટે ૨૦૧૫માં છ વર્ષની બાળકીનું અપહરહણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યા પછી તેની હત્યા કરવા બદલ એક પુરુષને આજીવન કારાવાસની આકરી સજા ફટકારી છે.
કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ઠંડે કલેજે બળાત્કાર અને હત્યા કરી હતી. આરોપીએ એટલું અમાનવીય કૃત્ય કર્યુ છે કે તેને કોર્ટ તરફથી કોઇ સહાનુભૂતિ મળે તેમ નથી.
આરોપી રવિન્દરને ૬ મેના રોજ પોક્સો એક્ટની કલમ ૬, આઇપીસી કલમ ૩૭૬ એ અને ૩૦૨ સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
આસિસ્ટન્ટ સેસન્સ જજ સુનીલ કુમારે જણાવ્યું હતું કે આ અપરાધ દુલર્ભથી અતિ દુલર્ભ કેટેગરીમાં આવતો નથી પણ આ કેસમાં આરોપની કૃત્ય એટલું ધૃણાસ્પદ અને અમાનવીય છે કે તેને કોર્ટ તરફથી કોઇ સહાનુભૂતિ મળી શકે તેમ નથી.
જજે વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું કૃત્ય હિંસક પ્રાણીથી ઓછું નથી અને અપરાધથી સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યું છે.
જજે જણાવ્યું હતું કે આ કેસમાં પીડિતા એટલી છ વર્ષની એટલી નિર્દોષ બાળકી હતી તેને આરોપીના બદઇરાદાનો પણ ખ્યાલ આવ્યો નહીં હોય. મારો મકક્મ મત છે કે આરોપી જરા પણ દયાને પાત્ર નથી અને તેને મહત્તમ સજા મળવી જોઇએ.
જજે આરોપીને ૫૦,૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને પીડિતાના માતા-પિતાને ૧૫ લાખ રૃપિયાનું વળતર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
READ ALSO
- વાહ રે વહીવટી તંત્ર! અમદાવાદના બિસ્માર રસ્તા-ભૂવાની ચિંતા છોડી 192 કોર્પોરટરો સ્ટડીટૂરના નામે કાશ્મીર સહિતના લોકેશન પર જઈ માણશે આનંદ
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’