આજે 24 માર્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની એક હાઈલેવલ બેઠક બાદ રાજ્યની 19 જેલોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન કચ્છની પલારા જેલમાંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે. જે રીતે પોલીસે આ સર્ચ ઓપરેશન ઉપાડ્યું છે એ રીતે જોતા રાજ્યની અન્ય જેલોમાંથી પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની શક્યતા છે.

રાજ્યની 19 જેલોમાં દરોડા પાડવામાં આવ્યાં
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ રાજ્યનું ગૃહવિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગેરકાયદે પ્રવૃત્તિ અંગે રાજ્યની તમામ જેલમાં ગૃહ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેકટર-૧, સેકટર -૨ અને ડીસીપી કક્ષમાં ઉચ્ચ અધિકારીઓએ સેન્ટ્રલ જેલમાં તપાસ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે. ડીજીપી વિકાસ સહાય જેલ વિભાગના વડા કે. એલ. એન રાવ અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત ઓપરેશન ઉપર નજર રાખી રહ્યા છે. રાજ્યની 19 જેલોમાં દરોડા પાડવામાં આવ્યાં છે. પોલીસ ઉપરાંત અલગ અલગ એજેન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.
READ ALSO
- ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું