પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા તેની નવી ફિલ્મ Zwigatoને લઈને ચર્ચામાં છે. કપિલની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. ફિલ્મ Zwigato શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ કપિલની આ ફિલ્મને દર્શકોથી એટલો રિસ્પોન્સ નથી મળી રહ્યો. આ દરમિયાન બોલીવુડ અભિનેતા અને સ્વયંને ફિલ્મ ક્રિટિક કહેનારા KRK (કમાલ આર ખાન)એ દાવો કર્યો છે કે કપિલ શર્માની ફિલ્મના 90 ટકા શો રદ કરવામાં આવ્યા છે.

KRKએ કપિલ શર્માને કહ્યો જોકર
KRK બોલીવુડ ફિલ્મ અને તેના સાથે જોડાયેલા કલાકારો વિશે અવારનવાર પ્રતિક્રિયા આપતો રહે છે. તેણે કપિલ શર્મા અને તેની ફિલ્મ Zwigato વિશે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે નિર્માતાઓએ ફિલ્મમાં એક જોકરને કાસ્ટ કર્યો છે. KRKએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘કપિલ શર્મા સ્ટારર ફિલ્મ #SharamKaro ને 1થી 3 ટકાની જબરદસ્ત ઓપનિંગ મળી છે. જ્યારે 90% શો ઓડિયન્સ ન હોવાના કારણે કેન્સલ થઈ જાય છે. ફિલ્મના નિર્માતાઓ તેના જ લાયક છે, જેમણે એક જોકરને ફિલ્મ સ્ટાર બનાવવાનો પ્રયાસ કર્યો.’
Kapil Sharma starer Film #SharamKaro has got earth shattering opening of 1-3%. While 90% shows are cancelled because of no audience. Producers of the film fully deserve this, who tried to make a joker film star.
— KRK (@kamaalrkhan) March 17, 2023
Zwigato હ્યુમન સ્પિરિટને દર્શાવતી ફિલ્મ
ફિલ્મ Zwigato એક એવી ફિલ્મ છે જે ફ્લેક્સીબીલીટી, આશા અને અતૂટ હ્યુમન સ્પિરિટને દર્શાવે છે. આ ફિલ્મ લોકોને રોજિંદા જીવનમાં જે સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે તેને દર્શાવે છે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. પરંતુ આ મુશ્કેલ સફરમાં પ્રેમ અને હાસ્યની નાની એવી ક્ષણો પણ છે, જેના કારણે ફિલ્મ જોવા જેવી છે. નંદિતા દાસ દ્વારા નિર્દેશિત અને લખાયેલી આ ફિલ્મમાં કપિલ શર્મા સાથે શહાના ગોસ્વામી પણ મુખ્ય ભૂમિકામાં છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર