ગુજરાત રાજ્યનું સોરઠ એ કેસર કેરીનું હબ ગણાય છે. ઉપલેટા પંથકમાં પણ મોટા પ્રમાણમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વખતે માવઠાની અસરે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે આંબાવાડીયા અને ઇજારો રાખનાર લોકોની હાલત દયનીય બની ગઇ છે.

વાતાવરણમાં આવેલા પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું છે
- કેરીઓમાં આવેલા મોર સુકાઇ ગયા છે
- તો ઘણી જગ્યાએ કેરીઓ ખરી ગઇ છે
- અમુક કેરીઓ ઝાડ પર મુરઝાઇ ગઇ છે..
- હાલત એવી છેકે જેટલો પાક થવો જોઇએ તેનો માત્ર 25 ટકા જ પાક થયો છે.
- ઉપલેટા પંથકના મોજીરા ગામના
- જ્યાં આ વર્ષે શરૂઆતથી જ પ્રતિકૂળ વાતાવરણે કેસર કેરીનો પાક બગાડ્યો છે.
- આંબા ઉપર જે કેરીના મોર અને ફ્લાવરિંગ બેસે તેને જ મોટું નુકસાન થયું છે.
- ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ તો કેરીના પાકમાં 90 % મોર કે ફ્લાવરિંગ ખરી ગયા છે.

મોજીરા ગામના એક ખેડૂત સાથે વાત કરી તો તેઓએ 215 પંદર વિઘામાં આંબાની કલમનું 22 વર્ષથી વાવેતર કરેલું છે.ખેડૂતના કહેવા પ્રમાણે એક મહિના પહેલા એક કરોડ થી પણ વધુમાં બગીચો વેચવા માટે માંગવામાં આવ્યો હતો પરતું વાતાવરણમાં ફેરફારનાં કારણે રોગ આવી જતા આ બાગ નાં 20 થી 25 લાખ આવેતો સારી વાત છે.

કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. આ વર્ષે પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના તેમજ ગરમી ગ્લોબલ વોર્મિંગ નાં કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે.તેમજ વિવિધ પ્રકારના રોગો પણ આવ્યા જેથી આ વર્ષે કેરી આમ જનતાના દાત ખાટા કરે તો નવાઈ નહીં.
READ ALSO
- આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?
- અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે
- મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા
- 28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
- રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!