પશ્ચિમી દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત એક કોમર્શિયલ ઈમારતમાં ભિષણ આગ લાગી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત નિપજ્યા. ઘટના અંગે રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો હતો. આગની ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગ અને એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી. દિલ્હીમાં લાગેલી આગ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી CM સિસોદિયા ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

પોલીસે ઈમારતની બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈમારતની બારીઓમાંથી નિકળતા ધુમાડાની વચ્ચે લોકોને જેસીબી મશિનના સહારે નીચે ઉતારવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને દોરડાની મદદથી નીચે ઉતારાયા હતા. આ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 27થી વધારે ગાડીઓની મદદ લેવામાં આવી હતી. તેમ છતાં કલાકોની જહેમત બાદ પણ આ આગ કાબુમાં આવી ન હતી. આ આગકાંડમાં 150 લોકોને બચાવાયા છે જ્યારે 19 લાપતા છે. બિલ્ડિંગના માલિકની અટકાયત; NDRFની પણ મદદ લેવાઈ છે.
Delhi Mundka Fire | CM Arvind Kejriwal along with Deputy CM Manish Sisodia reach the spot where a massive fire broke out yesterday in a 3-storey commercial building near Mundka metro station
— ANI (@ANI) May 14, 2022
27 people were killed in the incident while 29 people are still missing pic.twitter.com/dgZqnqEWg4
ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ હતી. દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી આ ઈમારત એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે. જેને ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડે આપવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર મેન્યુફેંકચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તેજસ પટેલની બદલી, આ કડક ગણાતાં મહિલા IPSને મળી જવાબદારી
- Patanjali Food Q4 Results / બાબા રામદેવની કંપનીએ કરી તગડી કમાણી, પતંજલિનો કરવેરા પછીનો ચોખ્ખો નફો 12.8 ટકા વધીને 264 કરોડ થયો
- એલોન મસ્કને Twitterની ચકલી મોંઘી પડી, કંપનીની માર્કેટ વેલ્યૂ 33 ટકા ઘટીને માત્ર 15 અબજ ડોલર થઈ ગઈ!
- બોગસ કંપનીઓ ઉભી કરીને જીએસટીની ઇન્પુટ ક્રેડિટ લેવાનું કૌભાંડ પકડાયું: રૂ.36.95 કરોડની કરચોરી પકડાઇ
- IRCTS કંપનીએ ત્રણ મહીનામાં રૂ. 278.79 કરોડની કરી કમાણી, 100 ટકા અંતિમ ડિવિડન્ડની જાહેરાત