કર્ણાટકમાં કેબિનેટ વિસ્તરને લઈને ભારતીય જનતા પાર્ટીમાં મોટી બબાલ મચી ગઈ છે. બીજેપીના કેટલાક ધારાસભ્યોએ ખુલ્લીને બગાવત પર આવી ગયા છે. પાર્ટીના ધારાસભ્ય બનસગૌડા યતનાલે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ગંભીર આરોપ લગાવ્યો છે. નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપામાં અંદરોઅંદર બગાવતના સૂર ચાલ્યા છે. યેદિયુરપ્પા પર ખોટું દબાણ આપવાના પણ આરોપો લગાવી તેમણે રાજકારણમાંથી નિવૃત્ત થવાની સલાહ પણ અપાઈ છે.

યેદિયુરપ્પાએ રાજનીતિમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ
પાર્ટીના ધારાસભ્ય બનસગૌડા યતનાલે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. તેઓ જાહેરમાં આવા આક્ષેપો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યેદિયુરપ્પાએ રાજનીતિમાંથી સન્યાસ લઈ લેવો જોઈએ. જે પણ બ્લેકમેલ કરે અથવા પૈસા આપે છે તેને મંત્રી બનાવી દેવામાં આવે છે. એના માટે કોટા છે. બસનગૌડા યતનાલે કહ્યું કે એક સીડી કોટા છે અને એક સીડી પ્લસ કોટા છે.
કાલાકપ્પા બંદીએ પણ કેબિનેટ વિસ્તરણ પર નારાજગી વ્યક્ત કરી
બસનગૌડા યતનાલે મુખ્યમંત્રી પર તીખા વાર કરતાં અટક્યા નહીં અને વધુ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને સીડીકાંડ દ્વારા બ્લેકમેલ કરવામાં આવે છે. ત્યાં બીજેપીના વધુ એક ધારાસભ્યે કાલાકપ્પા બંદીએ પણ કેબિનેટ વિસ્તરણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હું પાર્ટીનો વફાદાર સિપાહી છું. હું મંત્રીમંડલના વિસ્તરથી ખુશ નથી. આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે.
બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી હાઈકમાનને મંત્રીઓનું લિસ્ટ સોંપ્યું હતું
મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ લાંબા સમયથ ીમંત્રી મંડળનું વિસ્તરણ કરવા માગતા હતા આજે 7 નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી હાઈકમાનને મંત્રીઓનું લિસ્ટ સોંપ્યું હતું. હાઈકમાને કેટલાય દિવસની માથાફોડ પછી મંત્રીઓના નામ પર મહોર લગાવી. જો કે હવે મંત્રીઓના નામને લઈને બબાલ મચી ગઈ છે. કર્ણાટક બીજેપીના કેટલાય નેતાઓ નવા મંત્રીઓના નામથી નારાજ થયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર