જૂનાગઢના ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરશે. આ ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. આ વખતે મેળામાં સેવકો તથા અન્નક્ષેત્રોના સ્વયંસેવકોને મર્યાદીત સંખ્યામાં પ્રવેશ અપાશે. જ્યારે કે લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.

લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે
સાધુ – સંતો તથા તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે સહમતી થઇ હતી. સવારે અખાડાના સાધુ – સંતો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં પરંપરા મુજબ ભવનાથ મહાદેવને ધ્વજારોહાણ કરવામાં આવશે. ત્યારબાદ સાધુ – સંતો માટેના મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે.

સાધુ – સંતો તથા તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે સહમતી થઇ
ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ બાદ શ્રી પંચદશનામ જૂના અખાડા, શ્રી આવાહન અખાડા અને શ્રી અગ્નિ અખાડા ખાતે ધ્વજારોહણ થશે. જ્યારે ૧૧મી તારીખે મહાશિવરાત્રિના રાત્રે સાધુ – સંતોની રવેડી યોજાશે. ત્યારબાદ મૃગીકુંડમાં શાહીસ્નાન અને ભવનાથ મહાદેવ મંદિરે મહાઆરતી બાદ મહાશિવરાત્રિ મેળો સંપન્ન થશે.
READ ALSO
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત