GSTV
Junagadh ગુજરાત ટોપ સ્ટોરી

જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

જૂનાગઢના ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરશે. આ ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. આ વખતે મેળામાં સેવકો તથા અન્નક્ષેત્રોના સ્વયંસેવકોને મર્યાદીત સંખ્યામાં પ્રવેશ અપાશે. જ્યારે કે લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.

લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે

સાધુ – સંતો તથા તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે સહમતી થઇ હતી. સવારે અખાડાના સાધુ – સંતો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં પરંપરા મુજબ ભવનાથ મહાદેવને ધ્વજારોહાણ કરવામાં આવશે. ત્યારબાદ સાધુ – સંતો માટેના મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે.

સાધુ – સંતો તથા તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે સહમતી થઇ

ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ બાદ શ્રી પંચદશનામ જૂના અખાડા, શ્રી આવાહન અખાડા અને શ્રી અગ્નિ અખાડા ખાતે ધ્વજારોહણ થશે. જ્યારે ૧૧મી તારીખે મહાશિવરાત્રિના રાત્રે સાધુ – સંતોની રવેડી યોજાશે. ત્યારબાદ મૃગીકુંડમાં શાહીસ્નાન અને ભવનાથ મહાદેવ મંદિરે મહાઆરતી બાદ મહાશિવરાત્રિ મેળો સંપન્ન થશે. 

READ ALSO

Related posts

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

BIG BREAKING: વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી! રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર, 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

pratikshah
GSTV