GSTV
Rajkot Trending ગુજરાત

પુણ્યનુ ભાથુ બાંધવા પારેવાની સેવા / જેતપુરના ખેડૂતે બનાવ્યું અનોખી ડિઝાઈનનું પક્ષીઘર, દરેક ઋતુમાં આપે છે પક્ષીઓનું રક્ષણ

પક્ષીઘર

આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી ડિઝાઇન સાથેનું આ પક્ષીઘર એક સેવાભાવી ખેડૂતે તૈયાર કર્યું છે જેના માટે તેણે 20 લાખથી વધુનો કર્યો છે.

પક્ષીઘર

રાજકોટના જેતપુરના નવી સાંકળી ગામના ભગવાનજીભાઇ રૂપાપરા આ ખેડૂતે તેના જીવનમાં કમાયેલું ધન પક્ષીઓની સેવા માટે સમર્પિત કરી દીધું. ભગવાનજી ભાઇને વિચાર આવ્યો કે બદલાતી ઋતુમાં માનવી તો આશરો શોધી લે છે પણ પક્ષીઓ ક્યાં જાય? આ વિચારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યુ અને ભગવાનજી ભાઇ નાની સાંકળ ગામે તૈયાર કર્યું લાખોના ખર્ચે આ અનોખું પક્ષીઘર.

અંદાજે 20 લાખ કરતા વધુના ખર્ચે તૈયાર કરાયેલું આ અનોખુ પક્ષીઘર અહીં આવનાર તમામ માટે અચરજ પમાડે તેવું છે. અંદાજે 2 હજાર કરતા વધુ માટલાઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલું આ અનોખુ પક્ષીઘર કોઇપણ ઋતુમાં પક્ષીઓનું રક્ષણ કરે છે. ત્યાં સુધી કે આકાશી વીજળી પડે તો પણ પક્ષીઓને કોઇ નુકસાન ન થાય તે રીતે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.

પક્ષીઘર

ભગવાનજીભાઇનું કહેવું છે કે જો દરેક માનવી તેની યથાશક્તિ મુજબ મુંગા પશુ પક્ષીઓની સેવા કરે તો આ ધરતી પર જ સ્વર્ગ છે અને આ વાત સાર્થક કરી બતાવી છે ભગવાનજી ભાઇએ.

READ ALSO

Related posts

મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ

Nakulsinh Gohil

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil
GSTV