આપના નેતા ઇસુદાન ગઢવીએ જામનગરના ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે મુલાકાત કરી. ધ્રોલના હજામચોરામાં રવજીભાઇ પટેલ નામના ખેડૂતે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હતો. ત્યારે ઇસુદાન ગઢવીએ મૃતક રવજીભાઇના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. સરકાર મૃતક ખેડૂતના પરિવારજનોને આર્થિક સહાય કરે તેવી માંગ ઇસુદાન ગઢવીએ કરી છે.

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આપઘાત કરી લેનાર મૃતક ખેડૂતના પરિજનોને મળવા AAP ના ગુજરાત પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી પહોંચ્યા. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે રહેતા ખેડૂત રવજીભાઈ પટેલે નબળી આર્થિક પરિસ્થિતિને લીધે આપઘાત કર્યો હતી.
મૃતક ખેડૂતના પરિજનોને મળવા આજે AAP ગુજરાત પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા. AAP નેતા ઈશુદાન ગઢવીએ મૃતક ખેડૂતના પરિજનોને મળતા સાંત્વના પાઠવી હતી અને પરિજનોને કોઇપણ જરૂરિયાત હોય તો મદદરૂપ થવા ખાતરી આપી હતી. ખેડૂતના પરિજનોને આર્થિક સહાય કરવા સરકાર પાસે AAP નેતા ઈશુદાન ગઢવીએ માંગ કરી છે.
MUST READ:
- ચૈત્ર નવરાત્રી 2023: માઁ ચંદ્રઘંટાની ઉપાસનાનો મહામંત્ર, જેમના જાપથી માતાજી તમારા અટકેલા કાર્યો શીઘ્ર પૂરા કરશે
- મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4 રિક્ટર સ્કેલની તીવ્રતા અનુભવાઈઃ ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા
- ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ સાથે રમ્યા ક્રિકેટ, જુઓ વીડિયો
- નવરાત્રી 2023: નવરાત્રી પર તમારી રાશિ પ્રમાણે કન્યાઓને ભોજન કરાવો, તમને મળશે જગદંબાના આશીર્વાદ
- માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીનની કરી અરજી, માલિની પટેલ અને કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયો છે છેતરપિંડીનો ગુનો