દિલ્હીની કોર્ટે આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણા પ્રાધાન પી ચિદમ્બરમને ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશિયલ જજ અજયકુમાર કુહારે ઇડીને ચિદમ્બરમની સાત દિવસ સુધી પૂછપરછ કરવાની પરવાનગી આપી છે.

કોર્ટે ચિદમ્બરમની આ માંગને આપી મંજૂરી
જો કે કોર્ટે અલગ સેલ, ઘરમાં રાંધેલુ ભોજન, વેસ્ટર્ન ટોઇલેટ, દવાઓ, ચશ્મા તથા દરરોજ દોઢ કલાક પરિવારજનો અને વકીલો સાથે મુલાકાતની ચિદમ્બરમની માગને મંજૂરી આપી છે.

દર 48 કલાકે મેડિકલ તપાસના આદેશ
આ ઉપરાંત કોર્ટે દર ૪૮ કલાકે ચિદમ્બરમની મેડિકલ તપાસ કરાવવાનો પણ ઇડીને આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં ગઇકાલે તિહાર જેલમાંથી ચિદમ્બરમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસની કસ્ટોડિયલ પૂછપરછની માગ કરી હતી. જે અંગે કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો અને ચિદમ્બરમને સાત દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.
Read Also
- ટેલરીંગનં કામ કરનાર, ટેમ્પો ડ્રાઈવરને રબર સ્ટેમ્પ બનાવનનારના સંતાનો CMAની પરીક્ષામાં સારા માર્કે થયા પાસ, સખ્ત મહેનતનું પરીણામ
- બિહારના CM નીતિશ કુમારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સુરતમાંથી પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો
- ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર, રાજ્યના 42 વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ
- વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર
- તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી