16 જાન્યુઆરીથી દેશભરમાં શરુ થનારા કોરોનાના રસીકરણ વચ્ચે સરકારે એવા સંકેત આપ્યા છે કે સરકાર જે નક્કી કરે તે રસી મુકાવવાની રહેશે. તેનો વિકલ્પ નહીં આપવામાં આવે. સરકારે ભારતમાં સીરમ ઈન્સ્ટિટયુટની એસ્ટ્રા જેનિકા અને ભારત બાયોટેકની કો વેક્સિનને મંજૂરી આપી છે ત્યારે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, સંખ્યાબંધ દેશમાં એકથી વધારે વેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે પણ લોકોને વિકલ્પ વપસંદ કરવાનો અધિકાર અપાયો નથી.
નીતિ સરકાર અપનાવી શકે
આમ સ્વાસ્થ્ય સચિવે એવો સંકેત આપ્યો છે કે, ભારતમાં પણ આ જ પ્રકારની નીતિ સરકાર અપનાવી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ બીજો ડોઝ 28 દિવસના સમયગાળા બાદ આપવામાં આવશે.
રસીના કરોડો ડોઝ ખરીદવામાં આવ્યા
હાલમાં દેશના વિવિધ શહેરોમાં આ વેકસીનના ડોઝ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક પાસેથી રસીના કરોડો ડોઝ ખરીદવામાં આવ્યા છે. પહેલાં તબક્કામાં સરકાર હેલ્થ વર્કર્સ અને બીજા કોરોના વોરિયર્સને ફ્રી રસી આપવાની છે.
READ ALSO
- બમ્પર કમાણીની તક/ નોકરી-ધંધાનો વિચાર પડતો મૂકી કરો મોતીની ખેતી, બસ કરવું પડશે આ કામ
- રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી
- હાઈટ વધારવામાં મદદ કરે છે આ ફૂડ્સ, વધી રહેલાં બાળકોનાં ડાયેટમાં જરૂર કરો સામેલ
- 15 વર્ષે છોકરીએ મેડિકલ ટેસ્ટ કરાવતા થયો ચોંકાવનારો ખુલાસો, તમે પણ હકીકત સાંભળી સ્તબ્ધ થઇ જશો
- Bank Holiday: ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ બંધ રહેવાની છે બેંકો, આ તારીખો જોઈને કરજો પ્લાનીંગ