GSTV
India News Trending

ભારતીય નૌસેનાએ બનાવી પરમાણુ હુમલા માટે છ સબમરીનનાં નિર્માણની યોજના

ભારતીય નૌસેના પોતાની યોજનાઓનાં ભાગરૂપે 18 પરંપરાગત અને 6 પરમાણું હુમલા કરનારી સબમરીન બનાવવાની યોજના બનાવી રહી છે.

સ્થાયી સમિતિએ રજૂ કર્યો રિપોર્ટ

રક્ષા સંબંધી સ્થાયી સમિતિએ સંસદના શીતકાલીન સત્રમાં રિપોર્ટમાં કહ્યુકે, 18 (પરંપરાગત) અને 6 એસએસએન (પરમાણું હુમલા માટે સંચાલિત) સબમરીન બનાવવાની યોજના બનાવી છે. હાલમાં નૌસેના પાસે 15 પરંપરાગત અને 1 એસએસએન પટ્ટા પર ઉપલબ્ધ છે.

ખાનગી ક્ષેત્રનાં ઉદ્યોગો સાથે ભાગીદારીની યોજના

ભારતીય નૌસેના અરિહંત વર્ગ એસએસબીએન સાથે પરમાણુ હુમલો કરનારી છ સબમરીન બનાવવાની યોજના ધરાવે છે. જે પરમાણુ મિસાઇલોથી સજ્જ પરમાણું ઉર્જાથી ચાલતી સબમરીન છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સાથે ભાગીદારીમાં પરમાણુ હુમલો કરનારી સબમરીન પણ સ્વદેશમાં બનાવવાની યોજના છે. હાલમાં નેવી રશિયન મૂળની કિલો વર્ગની સબમરીન, જર્મન મૂળના એચડીડબલ્યુ વર્ગ અને પરંપરાગત ક્ષેત્રમાં નવીનતમ ફ્રેન્ચ સ્કોર્પિન ક્લાસની સબમરીનનું સંચાલન કરી રહી છે, જ્યારે અણુ વિભાગમાં તેણે રશિયા તરફથી આઈએનએસ ચક્ર (અકુલા વર્ગ) લીઝ પર આપ્યુ છે.

પાછલાં 15 વર્ષોમાં ફક્ત બે નવી પરંપરાગત સબમરીને સામેલ કરાઈ

નૌકાદળએ સંસદીય સમિતિને એમ પણ કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં સ્કોર્પિન-ક્લાસ જહાજો આઈ.એન.એસ. કાલવરી અને આઈ.એન.એસ. ખંડેરીમાં ફક્ત બે નવી પરંપરાગત સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિના તેના અહેવાલમાં જણાવાયું છે કે હાલની 13 પરંપરાગત સબમરીનની ઉંમર 17 થી 31 વર્ષની વચ્ચે છે.

નેવી પણ તેના પ્રોજેક્ટ ભારત હેઠળ છ નવી સબમરીન બનાવવાની યોજના પર કામ કરી રહી છે. નૌસેના ભારતીય કંપનીઓ અને વિદેશી મૂળના ઉપકરણોના ઉત્પાદકોની સાથે વધુ છ પરંપરાગત સબમરીન બનાવશે. પ્રોજેકટ વ્યૂહાત્મક ભાગીદારી નીતિ હેઠળ શરૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

આર્થિક વિકાસમાં ભારતે ચીનને પણ પછાડયું, માર્ચના ત્રિમાસિક ગાળામાં GDP વધીને 6.1 ટકા થયો

Vushank Shukla

પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર

Vushank Shukla

શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય

Hardik Hingu
GSTV