મહારાષ્ટ્રમાં શિવસેનામાં થયેલા બળવાના પગલે રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં ચિંતાનો માહોલ હતો પણ બુધવારે હાઈકમાન્ડે મોકલેલા નીરિક્ષક કમલનાથે બોલાવેલી બેઠક પછી કોંગ્રેસને રાહત થઈ છે. આ બેઠકમાં કોંગ્રેસના ૪૪માંથી ૪૧ ધારાસભ્યો હાજર હતા. બીજા ત્રણ ધારાસભ્યોએ પણ પહેલાંથી જાણ કરીને બેઠકમાં હાજર નહીં રહી શકાય એવી માહિતી આપી હતી તેથી કોંગ્રેસ અકબંધ છે.

સામાન્ય રીતે રાજકીય ઉથલપાથલમાં સૌથી પહેલું ભંગાણ કોંગ્રેસમાં પડયું છે ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની એકતા આશ્ચર્યજનક છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની નેતાગીરીએ સારી કામગીરી બજાવીને પોતાના ધારાસભ્યોને સાચવી રાખ્યા છે.
કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક પછી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહબ થોરાટે કોંગ્રેસના તમામ ૪૪ ધારાસભ્યો પક્ષ સાથે હોવાનું એલાન કર્યું. તેમણે દાવો કર્યો કે, અમારા ધારાસભ્યો તૂટી રહ્યા હોવાના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.
સૂત્રોનો દાવો છે કે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા પણ પ્રયત્ન કર્યો હતો પણ ધારાસભ્યોએ મચક નથી આપી. ભાજપ સાથે જવાથી રાજકીય કારકિર્દી પતી જશે એવા ડરે કોઈ કોંગ્રેસ છોડવા તૈયાર નથી.
READ ALSO:
- સિંધિયાએ કહ્યું: ભારતમાં પાંચ વર્ષમાં 200 એરપોર્ટ હશે; કંપનીઓ 1400 વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપશે
- આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રીનું કરૂણ મોત
- BIG NEWS: શું વધશે EMI અથવા મળશે રાહત? RBI કરશે રેપો રેટ પર મોટી જાહેરાત
- સાઉથની રિમેક; બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ફિલ્મ ‘શહેઝાદા’ના વેતન બાકી
- Adipurush/ પ્રમોશનલ ઈવેન્ટમાં જ નિર્માતાઓએ કર્યો કરોડોનો ખર્ચ