GSTV
India News Trending

સુપ્રીમ કોર્ટમાં પણ ઉધ્ધવ હારે એવાં એંધાણ, સિબ્બલ ઉપરાંત કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ જૂથના વકીલ

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે શિવસેના વિરૂધ્ધ શિવસેનાના કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે પણ ચીફ જસ્ટિસે કરેલી ટીપ્પણીઓને જોતાં ઉધ્ધવ ઠાકરે માટે સારા અણસાર નથી. ઉધ્ધવ ઠાકરે જૂથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉધ્ધવને વિશ્વાસનો મત લેવા કહ્યું એ નિર્ણયને પડકાર્યો છે.

ઉધ્ધવ જૂથની દલીલ છે કે, રાજ્યપાલ ક્યારેય પણ વિશ્વાસમત માટે બોલાવી શકે નહીં. ઉધ્ધવ ઠાકરે જૂથ વતી કપિલ સિબ્બલે દલીલ કરી છે કે, રાજ્યપાલ એમ માની શકે નહીં કે સરકારે વિશ્વાસમત ગુમાવી દીધો છે. વિશ્વાસનો મત લેવાનું કામ સ્પીકરનું છે અને રાજ્યપાલ સ્પીકરે તેમની કામગીરી અંગે દબાણ કરી શકે નહીં.

ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, કોર્ટ ઉધ્ધવ સરકારને પુન: સ્થાપિત કરી દે એવું તમે ઈચ્છો છો ? ચીફ જસ્ટિસે વિશ્વાસના મત પહેલાં ઉધ્ધવ સરકારે કેમ રાજીનામું આપી દીધું એ સવાલ પણ કર્યો હતો. સિબ્બલ ઉપરાંત કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ જૂથના વકીલ છે.

Related posts

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth
GSTV