વડોદરામાં પથ્થરમારાની ઘટનાના પગલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ, વડોદરા મહાનગરપાલિકા કમિશનર બંછાનીધિ પાની સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટના મામલે જાણકારી મેળવી હતી. રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 15 થી 17 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

વડોદરામાં આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો જે બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાબડતોબ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી જે પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ, વડોદરા મહાનગરપાલિકા કમિશનર બંછાનીધિ પાની સહિતના અધિકારીઓ જોડાયા હતા.
રાતભર સુધી કોમ્બિંગ ચાલુ રાખવામાં આવશે
બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાખવાના કામ કર્યા છે તે લોકો ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરવામાં આવશે. એક એક ગુનેગારોને ઓળખી કાઢવા 354 સીસીટીવી કેમેરાની મદદથી રાતભર કામગીરી કરવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ વડોદરા ખાતે મોકલી આપવામાં આવી છે. રાતભર સુધી કોમ્બિંગ ચાલુ રાખવામાં આવશે.
READ ALSO
- ઉત્તરાખંડની ટનલ દૂર્ઘટના: 41 મજૂર ક્યાર સુધી ઘરે જઇ શકશે? AIIMSએ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે આપી જાણકારી
- રાજ્યની સ્કૂલો-કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, બીજા સત્રમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે
- મુસાફરોથી ભરેલી ટ્રેન અચાનક જ સ્ટેશન પર છોડીને ચાલ્યો ગયો ડ્રાઇવર, પછી આપ્યું આ વિચિત્ર કારણ
- જો અમીર અને સુખી જીવન ઇચ્છતા હોવ તો પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજે જણાવેલા આ 2 ઉપાયો અપનાવો જરૂર
- પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ