નાણામંત્રાલયે શનિવારે લોકસભામાં જાણકારી આપતા કહ્યુ કે, 2 હજાર રૂપિયાની કરન્સી નોટ્સની પ્રિંટિંગ બંધ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકસભામાં લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યુ કે, સરકાક કોઈપણ પ્રકારની કરંસી નોટ વિશે નિર્ણય લેતા પહેલા RBI ની સલાહ લે છે. તેનાથી સામાન્ય લોકોને ચલણી નોટો પર્યાપ્ત વસ્તુઓમાં ઉપલબ્ધ છે.


નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટો મોકલવા માટે પ્રેસને કોઈ માંગ પત્ર મોકલ્યો ન હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે, સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું વિચારી રહી છે.
27 લાખથી વધુ નોટ સર્કુલેશનમાં
નાણાં રાજ્ય પ્રધાને પણ એ માહિતી આપી હતી કે, 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 ચલણી નોટો ફરતી થઈ છે. 31 માર્ચ 2019 સુધીમાં આ આંકડો 32,910 ચલણી નોટનો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને પગલે લોકડાઉન લાદવાના કારણે નોટોનું છાપકામ થોડા સમય માટે બંધ કરાયું હતું. જોકે, આ પ્રિંટિંગ પ્રેસમાં તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે.
લોકડાઉન પ્રભાવિત રહી નોટની છાપણી
જણાવી દઈએ કે, ભારતીય રીઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડમાં 23 માર્ચ 2020થી લઈને 3 મે 2020 સુધી નોટનું છાપકામ બંધ હતુ. 4મે પહેલા અહીંયા પર કામ શરૂ થઈ ગયુ હતુ. ઠાકુરે એ પણ જણાવ્યુ કે, સિક્યોરિટી પ્રિંટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ (SPMCIL)માં પણ કેટલાક સમય માટે નોટનું છાપકામ બંધ રહ્યુ છે. SPMCIL ના નાસિક અને દેવાસ સ્થિત પ્રેસ લોકડાઉન દરમિયાન બંધ હતુ.
READ ALSO
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
