GSTV
ટોપ સ્ટોરી

ભાજપના MP અને નીતિન પટેલ વચ્ચે તું તું…મૈં…મૈં, ગાંધીનગર જઇએ તો નીતિનભાઇ કામ તો દૂર પણ સામે ય ન હોતા જોતા

નવી સરકાર રચાયા બાદ ભાજપમાં સિનિયર નેતાઓએ વાકયુદ્ધ છેડ્યું છે. એક બાજુ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના નેતાઓને વિભીષણ અને મંથરા સાથે સરખાવી વિરોધના સૂર છેડી રહ્યાં છે.

નીતિન

ભાજપના સાંસદ નારણ કાછડિયાએ પણ ફેસબુક પર નીતિન પટેલને ગણાવ્યાં નકામા નેતા

તો, બીજી તરફ, ભાજપના સાંસદ નારણ કાછડિયાએ પણ ફેસબુક પર નીતિન પટેલને નકામા નેતા ગણાવ્યાં છે. તેમણે ફેસબુક પર એવી કોમેન્ટ લખી છે કે, ગાંધીનગર જઇએ તો નીતિનભાઇ સામુય જોતા હતાં. કામની વાત તો બાજુએ રહી.

નો રિપીટ થિયરીને કારણે રૂપાણી સરકારના બધાય મંત્રીઓને ઘેર બેસવાનો વારો આવ્યો છે જેના કારણે સિનિયર મંત્રીઓ નારાજ છે તેમાં ય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં જાહેર મંચ પરથી એવુ કહ્યુ હતુંકે, ભાજપ પક્ષમાં કેટલાંક લોકો એવા છેકે,હું મહેસાણા આવુ છું તો ય તેમને ગમતું નથી.

ભાજપમાં વિભિષણ અને મંથરા છે નિવેદન બાદ ભાજપના સિનિયર નેતાઓ વચ્ચે વાકયુદ્ધ

ભાજપમાં વિભિષણ અને મંથરા છે. આ નિવેદન બાદ ભાજપના સિનિયર નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે. ભાજપના સાંસદ નારણ કાછડિયાએ સોશિયલ મડિયાના માધ્યમથી આડકતરો સંદેશો આપ્યો કે, ‘નીતિન પટેલ કોઇનું કામ પણ ન હોતા કરતાંં.’

કાછડિયાએ ફેસબુક પર એવી કોમેન્ટ લખી કે, અમે ગાંધીનગર આવતાં તો નીતિન પટેલ સામુ ય જોતા ન હતાં. કામની વાત તો દૂર રહી. તેમણે વિભિષણ અને મંથરાના નિવેદન અંગે પણ એવી કોમેન્ટ કરીકે, હવે તમને ખબર પડી. એવી ય જાણકારી મળી છેકે, એક ડોક્ટરની બદલી મુદ્દે સાંસદ નારણ કાછડિયા અને નીતિન વચ્ચે તુંતુંમેમે થઇ હતી.

ખુદ ભાજપના ધારાસભ્યો-નેતાઓમાં ય ગણગણાટ છે કે, ડૉક્ટરો, નર્સની બદલી કરવા કેટલીય ભલામણો કરવામાં આવે તો નીતિન પટેલ કોઇનું ય માનતા ન હોતાં અને મનમાની કરતા. અત્યારે સોશિયલ મિડીયામાં ભાજપના સિનિયર નેતાઓ જાહેરમાં નીતિન પટેલ સામે વિરોધના સૂર વ્યક્ત કરી રહ્યાં છે.

raghavji patel

કૃષિ મંત્રીએ જ ભાજપ સરકારને બાબા આદમની સરકાર ગણાવી

ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જ બફાટ કર્યો છે. જામનગર સહિત અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત વખતે રાઘવજી પટેલ જાહેરમાં કહ્યું કે, અસરગ્રસ્ત ખેડૂતોને મળતી સહાયમાં વધારો કરવામાં આવશે. બાબા આદમના સમયના સહાયના ધોરણો સુધારવા પડશે. તો જ લોકોને એવુ થશે કે, સરકારે અમારા માટે કઇંક મદદ કરી છે.

આમ, કૃષિ મંત્રીએ જ ભાજપ સરકારને બાબા આદમની સરકાર સાથે સરખાવી દીધા હતાં. તેમણે એમ પણ કહ્યું કે, જો માછીમારોની સહાય વધતી તો ખેડૂતોની સહાયમાં ય વધારો થવો જોઇએ. ટૂંકમાં, છેલ્લા 30 વર્ષથી ગુજરાત પર શાસન કરતી ભાજપ સરકારને કૃષિ મંત્રીએ બાબા આદમની સરકાર કહી દીધી હતી.

READ ALSO :

Related posts

BIG NEWS: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે, સરકારી અધિકારીનો બંગલો પચાવી પાડવા મુદ્દે નોંધાઈ છે ફરિયાદ

pratikshah

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah
GSTV