કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફાર માટે રચવામાં આવેલી સમિતિએ ખૂબ સારી ભલામણો કરી છે. જો એ ભલામણો માની લઈ તેના પર અમલીકરણ કરવામાં આવશે તો કોંગ્રેસનું ભાગ્ય બદલાઈ જશે એ નિશ્ચિત છે. શું-શું ભલામણો છે તે જોઈએ.
(1) એક પરિવારમાંથી કેવળ એક જ સદસ્યને ટિકિટ અપાશે. જેને ટિકિટ અપાય એ વ્યક્તિ કમસેકમ પાંચ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હોવી જોઈએ. પક્ષમાં નવા-સવા આવેલાઓને ટિકિટ નહીં અપાય.
(2) જો કોઈ નેતાના પુત્રને કે અન્ય નેતાને કોંગ્રેસમાં ટિકિટ જોઈતી હશે તો લગાતાર પાંચ વર્ષ સુધી પાર્ટીના સંગઠનમાં કામ કરવું પડશે.

(3) જે પરિવારો વર્ષોથી કોંગ્રેસ જોડે સંકળાયેલા છે તેમને એક ટિકિટનો નિયમ લાગુ પડતો નથી.
(4) સંગઠનના 50% પદ યુવાનો માટે અનામત રાખવા. યુવાન એટલે જેની ઉંમર 50 વર્ષથી ઓછી હોય એવો નેતા.
(5) જે નેતાઓ પદ પર રહીને સારી કામગીરી કરશે તેમને પારિતોષિક આપવામાં આવશે. કોઈપણ નેતા પાંચ વર્ષ સુધી પદ પર રહે પછી તે એકધારુ વધુ વર્ષો સુધી તે પદ ભોગવી શકશે નહીં. તે નેતાને ત્રણ વર્ષનો કુલીંગ પીરિયડ આપવામાં આવશે. આ નિયમ સંગઠનના નેતાને જ લાગુ પડશે. ચૂંટણી જીતનારા નેતાને લાગુ પડશે નહીં.
બુથ અને બ્લોક લેવલ પર 3થી 5 મંડળ બનાવવામાં આવશે જેથી બુથ સ્તરની સમિતિ અને બ્લોક સ્તરની સમિતિમાં વધુને વધુ કાર્યકર્તાઓને સમાવી શકાય.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ