કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફાર માટે રચવામાં આવેલી સમિતિએ ખૂબ સારી ભલામણો કરી છે. જો એ ભલામણો માની લઈ તેના પર અમલીકરણ કરવામાં આવશે તો કોંગ્રેસનું ભાગ્ય બદલાઈ જશે એ નિશ્ચિત છે. શું-શું ભલામણો છે તે જોઈએ.
(1) એક પરિવારમાંથી કેવળ એક જ સદસ્યને ટિકિટ અપાશે. જેને ટિકિટ અપાય એ વ્યક્તિ કમસેકમ પાંચ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હોવી જોઈએ. પક્ષમાં નવા-સવા આવેલાઓને ટિકિટ નહીં અપાય.
(2) જો કોઈ નેતાના પુત્રને કે અન્ય નેતાને કોંગ્રેસમાં ટિકિટ જોઈતી હશે તો લગાતાર પાંચ વર્ષ સુધી પાર્ટીના સંગઠનમાં કામ કરવું પડશે.

(3) જે પરિવારો વર્ષોથી કોંગ્રેસ જોડે સંકળાયેલા છે તેમને એક ટિકિટનો નિયમ લાગુ પડતો નથી.
(4) સંગઠનના 50% પદ યુવાનો માટે અનામત રાખવા. યુવાન એટલે જેની ઉંમર 50 વર્ષથી ઓછી હોય એવો નેતા.
(5) જે નેતાઓ પદ પર રહીને સારી કામગીરી કરશે તેમને પારિતોષિક આપવામાં આવશે. કોઈપણ નેતા પાંચ વર્ષ સુધી પદ પર રહે પછી તે એકધારુ વધુ વર્ષો સુધી તે પદ ભોગવી શકશે નહીં. તે નેતાને ત્રણ વર્ષનો કુલીંગ પીરિયડ આપવામાં આવશે. આ નિયમ સંગઠનના નેતાને જ લાગુ પડશે. ચૂંટણી જીતનારા નેતાને લાગુ પડશે નહીં.
બુથ અને બ્લોક લેવલ પર 3થી 5 મંડળ બનાવવામાં આવશે જેથી બુથ સ્તરની સમિતિ અને બ્લોક સ્તરની સમિતિમાં વધુને વધુ કાર્યકર્તાઓને સમાવી શકાય.
Read Also
- મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
- આર્થિક વિકાસમાં ભારતે ચીનને પણ પછાડયું, માર્ચના ત્રિમાસિક ગાળામાં GDP વધીને 6.1 ટકા થયો
- સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો
- વડોદરામાં લવ જેહાદ / મહંમદે એક સંતાનની માતાને ફસાવી, દરગાહનું પાણી પીવડાવી, ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચર્યું
- પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર