ઈન્ડિયન પ્રીમિયર લીગ(2023)માં આજે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બીજો ક્વોલિફાયર મુકાબલો ખેલાવાનો છે ત્યારે આ મહત્વપૂર્ણ મેચ પહેલા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના સફરની વિદાય થશે. કારણ કે, ક્વોલિફાયર મેચમાં વરસાદ થાય તો કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પરિણામે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોપ પર હોય તે ટીમ ફાઈનલમાં પ્રવેશ મેળવશે.
મુંબઈ ચોથી વખત રમી રહી છે ક્વોલિફાયર-2
મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલ નંબર-4 પર રહી હતી. મુંબઈના 14 મેચમાં 8 જીત અને 6 હાર સાથે 16 પોઈન્ટ હતા. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે એલિમિનેટરમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી હતી. મુંબઈની ટીમ 10મી વખત પ્લેઓફમાં પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તેની 10મી પ્લેઓફમાં ચોથી વખત ક્વોલિફાયર-2 રમી રહી છે.
તમને જણાવી દઈએ કે, ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું છે જ્યારે આજે રમાનારી મેચ ગુજરાત અને મુંબઈમાંથી જે ટીમ જીતશે તે ચેન્નઈ સામે ટકરાશે. આઈપીએલની ફાઈનલ મેચ 28મી મેના રોજ રવિવારે રમાશે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં