IAS ટીના ડાભી અને પ્રદિવ ગવાંડે તેમના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં હતા. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે બંનેની આ કહાની કેવી રીતે અને ક્યાંથી શરૂ થઈ હતી. થોડા સમય પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ અને પછી લગ્ન સુધી પહોંચી હતી. IAS ટીના ડાભી અને પ્રદીપ ગવાંડે કોવિડની બીજી લહેર દરમિયાન એકબીજાને મળ્યા હતા.

બંને રાજસ્થાનના આરોગ્ય વિભાગમાં સાથે કામ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા, પછી ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ટીના ડાભીએ જણાવ્યું હતું કે પ્રદીપે મને અગાઉ પ્રપોઝ કર્યું હતું, જોકે અમે બંને એકબીજાને પસંદ કરતા હતા. પ્રદીપ તેના કરતા 13 વર્ષ મોટા છે. ઉંમરના પ્રશ્ન પર તેણે કહ્યું કે સંબંધો ઉંમરના આધારે નક્કી થતા નથી. પરસ્પર સમજણ, પ્રેમ અને સુસંગતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટીના ડાભીએ ઈન્ટરવ્યુંમાં ઘણા સવાલો પર ખુલીને વાત કરી હતી. તેણે મહિલાઓને જીવનમાં સેકેન્ડ ચાન્સ વિશે પણ ઘણું સમજાવ્યું છે. પહેલા લગ્ન તૂટવાના અફસોસ જેવું કંઈ ન હોવું જોઈએ કારણ કે જો તમે તેને સંભાળી નહિ શકો તો સંબંધ તોડી નાખવો વધુ સારું છે. બંને પરસ્પર સંમતિથી અલગ થયા અને વિધિવત છૂટાછેડા પછી ટીના ફરીથી લગ્ન કરવા જઈ રહી છે.
Also Read
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
- રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત