દેશમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળનો ખેલ ખૂબ જ મોટો છે. જો કે આ મામલે પોલીસ સતત તેમાં સંડોવાયેલા લોકોની ધરકપડ કરે છે. પરંતુ ભેળસેળનો ખેલ હજુ પણ યથાવત જ છે. તાજેતરમાં જ પોલીસે ફરીદાબાદના એક વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ભાંડો ફોડીને કેટલાંક લોકોની ધરપકડ કરી છે. બજારમાં અસલી અને નકલી બંને પ્રકારના ઘીનું ધૂમ વેચાણ થાય છે. તેવામાં જો તમે ઘી ખાવાના શોખી હોય તો જરા સંભાળીને બજારમાંથી ઘી ખરીદજો. જાણકારોનું કહેવુ છે ભેળસેળ વાળુ દેશી ઘી તૈયાર કરવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે શુદ્ધ દેશી ઘીની ઓળખ કેવી રીતે કરશો.

જણાવવામાં આવી રહ્યું છે કે ભેળસેળ વાળુ ઘી તૈયાર કરવા માટે 40 ટકા રિફાન્ડ ઓયલ અને 60 ટકા ફોર્ચ્યુન વનસ્પતિ મિક્સ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં બાફેલા બટાકા અને બિટ્યુમેન મિક્સ કરવામાં આવે છે. ફોર્ચ્યુન વનસ્પતિ દાણાદાર હોય છે.
તેથી ભેળસેળ વાળા ઘીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમાં પણ ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે 5થી 10 ટકા અસલી દેશી ઘી પણ મિક્સ કરે છે. તેમાં દેશી ઘી વાળુ સેન્ટ પણ મિક્સ કરવામાં આવે છે.

કેવી રીતે અસલી ઘીને ઓળખશો
ઘી ભેળસેળ વાળુ છે કે નહીં, તે જાણવા માટે તમે એક વાસણમાં એક ચમચી ઘી ગરમ કરો. જો ઘી તરત જ ઓગળી જાય અને તેનો રંગ બદલાઇની ભૂરો થઇ જાય તો તે શુદ્ધ દેશી ઘી છે. જો ઘી પીળા રંગનું થઇ જાય તો તે ભેળસેળ વાળુ ઘી છે.
દેશી ઘી ઓળખવા માટે હાથ પર થોડી ઘી લો. તે બાદ હાથને ઉંધા કરીને મસળો. જો ઘીમાં દાણા આવી જાય તો સમજી લો આ ઘી નકલી છે. અસલી ઘી હાથ પર લગાવતા જ હાથ પર ફેલાઇ જાય છે. અસલી ઘી ઓળખવાની આ સૌથી સરળ રીત છે.

એક ચમચી ઘીમાં ચાર-પાંચ ટીપાં આયોડીન મિક્સ કરો. જો રંગ બ્લૂ થઇ જાય તો ઘીમાં બાફેલા બટાકા મિક્સ કરેલા છે.
એક ચમચી ઘીમાં એક ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ચપટી ખાંડ મિક્સ કરો. જો ઘીનો રંગ લાલ થઇ જાય તો તેમાં ડાલડા મિક્સ છે.
શુદ્ધ ઘી ઓળખવા માટે પોતાની હથેળી પર એક ચમચી ઘી નાંખો. જો તે આપમેળે જ ઓગળી જાય તો સમજી લો કે તે શુદ્ધ છે. જો ઘી જામી જાય અને તેમાં સુગંધ આવવાનું બંધ થઇ જાય તો સમજી જાઓ કે તે નકલી છે.
Read Also
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?