જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહના આવવાથી ખીણમાં રાજકીય માહોલ ગરમાયો છે. ગૃહ મંત્રીની બેઠકનો સમય તો શરૂ થઈ ગયો છે. કેટલીક વિકાસ યોજનાઓનો પણ શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ પૂર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને આ પ્રવાસથી કોઈ આશા નથી. તેમની નજરમાં માત્ર બધુ જ સામાન્ય બતાવવાનુ નાટક ચાલી રહ્યુ છે પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે.
મહેબૂબા મુફ્તીએ અમિત શાહ પર નિશાન સાધ્યુ
મહેબૂબા મુફ્તીએ કહ્યુ છે કે અમિત શાહના પ્રવાસ પહેલા 700 સિવિલિયનને ડિટેઈન કરવામાં આવ્યા. કેટલાક ગુનેગારોને કાશ્મીરની બહારની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આવા પગલા તણાવને વધારે પ્રોત્સાહન આપવાનુ કામ કરે છે. બધુ જ સામાન્ય બતાવવાનો પ્રયત્ન સતત થઈ રહ્યો છે પરંતુ અસલી સચ્ચાઈને તમામ દબાવવા ઈચ્છે છે.
370 હટ્યા બાદથી મુશ્કેલી: મહેબૂબા મુફ્તી

ત્યાં જન વિકાસ કાર્યોને અમિત શાહે લીલી ઝંડી બતાવી છે. તેની પર પણ મહેબૂબા મુફ્તીએ નિશાન સાધ્યુ છે. તેમની નજરમાં અડધાથી વધારે પ્રોજેક્ટ તે છે જેનુ કામ યુપીએ કાર્યકાળ દરમિયાન જ શરૂ થઈ ચૂક્યુ હતુ. તેઓ કહે છે કે ગૃહ મંત્રી શ્રીનગરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનુ ઉદ્ઘાટન કરે છે, નવા મેડીકલ કોલેજનો પાયો પણ રાખે છે પરંતુ સત્ય એ છે કે અડધાથી વધારે મેડીકલ કોલેજને લઈને સેન્શન કોંગ્રેસ સરકાર દરમિયાન થઈ ગઈ હતી. 370 હટ્યા બાદથી જ માત્ર મુશ્કેલી વધી છે. જમ્મુ-કાશ્મીરને અરાજકતા તરફ ધકેલી દીધા છે.
આ તમામ સિવાય મહેબૂબા મુફ્તી તરફથી અમિત શાહને કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે. તેમના મતે જો અમુક કેદીઓને સમયસર જેલમાંથી મુક્ત કરવામાં આવે તો લોકોના ઉત્પીડનને ખતમ કરવામાં આવત, જો અર્થવ્યવસ્થાને દુરસ્ત કરવાનુ કામ ચોક્કસ અંદાજમાં થાત, તો લોકોને યોગ્ય અર્થમાં રાહત મળત, ખીણનો વિકાસ યોગ્ય રીતે થયો હોત.
Read Also
- બ્રહ્માસ્ત્ર ફ્લોપ જવાના ડરથી કરણની ઊંઘ હરામ, ટ્વીટર પર બોયકોટનો શરૂ થયો ટ્રેન્ડ
- ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર
- રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ આ બેંકે પણ પોતાના ગ્રાહકો પર વધારી દીધો લોનનો બોજ
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ
- PF એકાઉન્ટ હોલ્ડર્સને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો ફાયદો! જાણો તમે કેવી રીતે લઇ શકો છો લાભ