સોમવારથી શરૂ થઈ રહેલુ ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર હંગામેદાર રહે તેવી પુરેપુરી શક્યતા છે. બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરિતી મામલે કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. આ માટે વિધાનસભામાં તાકીદની ચર્ચા કરવા વિપક્ષે માંગ કરી છે. આ ઉપરાંત ઊનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં ડીપીએસ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. ડીપીએસ મુદ્દે અપાયેલી કલમ 116 હેઠળની નોટિસ પાસ થઈ છે. જ્યારે સત્ર અગાઉના અંતિમ દિવસે બિન સચિવાલય પરીક્ષામાં ગેરરિતી મુદ્દે વિધાનસભા સચિવ ડી. એમ. પટેલને રજૂઆત કરાઈ છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો