Last Updated on February 26, 2021 by Pravin Makwana
આફ્રિકન દેશ નાઇજીરીયાની એક શાળામાંથી લગભગ 300 છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. દેશના ઉત્તરીય વિસ્તારમાં આવેલી આ શાળા પર શુક્રવારે સવારે કેટલાક બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના જામફરા રાજ્યની સરકારી માધ્યમિક ઝાંગીબી સ્કૂલમાં ઘટી છે. આ કેસથી વાકેફ વ્યક્તિએ કહ્યું છે કે શાળાના રેકોર્ડ બતાવે છે કે 300 છોકરીઓ ગુમ છે. આમાં તેની 10 અને 13 વર્ષની પુત્રી પણ શામેલ છે.
અહીં રહેતા મુસા મુસ્તફા નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ નજીકમાં લશ્કરી છાવણી અને ચોકી પર પણ હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે બંદૂકધારી કલાકો સુધી શાળાની અંદર રહ્યા હતા. પરંતુ સેનાએ કંઈ કર્યું નહીં. આ હુમલા દરમિયાન કોઈનું મોત થયું હતું કે કેમ તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી. આવા ઘણા સશસ્ત્ર જૂથો જામફરા રાજ્યમાં શસ્ત્રો સાથે વસે છે. પૈસા અને તેમના સાથીઓને જેલોમાંથી છોડાવવા માટે તે અપહરણ કરે છે.
પહેલાં છોકરાઓનું અપહરણ કર્યું
અહીં અગાઉ અજાણ્યા બંદૂકધારી લોકોએ તેમની હોસ્ટેલમાંથી સ્કૂલના ઢગલાબંધ છોકરાઓનું અપહરણ કર્યું હતું. આ છોકરાઓની સાથે તેમના કેટલાક શિક્ષકોનું અપહરણ પણ કરાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલો કરનારાઓએ સૈન્ય ગણવેશ પહેરેલો હતો. તેઓ અચાનક સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ્યા અને વિદ્યાર્થીઓને નજીકના જંગલ તરફ લઈ ગયા. અપહરણ દરમિયાન એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
લોકો એમને ડાકુ કહે છે
નોર્થવેસ્ટ અને સેન્ટ્રલ નાઇજિરીયામાં ગુનાહિત જૂથો દિવસે આવી ઘટનાઓને અંજામ આપે છે. આ જૂથોને સ્થાનિક રીતે ‘બેન્ડિટ્સ’ કહેવામાં આવે છે. જેઓ ખંડણી અને બળાત્કાર માટે અપહરણ કરે છે અને સમગ્ર વિસ્તારમાં લૂંટ ચલાવે છે. એવું કહેવામાં આવે છે કે આ લોકો પૈસા માટે આવી ઘટનાઓ ચલાવે છે અને તેમની પાસે કોઈ વૈચારિક ઝુકાવ નથી. પરંતુ સુરક્ષા અધિકારીઓ માને છે કે તેમને ઉત્તર પશ્ચિમ નાઇજિરીયાના જેહાદીઓનું સમર્થન છે, જ્યાં સૈન્ય એક દાયકાથી ચાલી રહેલા ઇસ્લામિક બળવો સામે લડી રહ્યું છે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
