GSTV
India ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વે નો તાર તૂટતા સાત પ્રવાસીઓનાં મોત

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અહીં રોપ-વેનો કેબલ તુટી જવાથી સાત પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. મૃતકોમાંથી ચાર લોકો એક જ પરિવારના સભ્યો હતા. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતુ.

આ દુર્ઘટના ગુલમર્ગના ગોંદોલામાં થઇ હતી. ગોંદોલામાં બે પહાડો વચ્ચે આવવા જવા માટે રોપ- વે સર્વિસ છે. જેમાં કેબલ કારના વાયર પર અચાનક વૃક્ષ પડવાથી દુર્ઘટના સર્જાઇ હોવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ દુર્ઘટનામાં સાત પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. દુર્ઘટના બાદ કેબલ કાર પર ફસાયેલા લગભગ 100 લોકોને બચાવવા માટે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મૃતકોમાં ચાર લોકો એક જ પરિવારના સભ્યો હોવાનું બહાર આવ્યું છે.

Related posts

વિશ્વાસઘાત! અમદાવાદના બુલિયન વેપારીના કર્મચારીએ કરી છેતરપિંડી, 13 કરોડ 50 લાખનું સોનું લઈને અન્ય સાથીદારો સાથે થયો ફરાર

pratikshah

સુરત! રામ નવમીના દિવસે માર્કેટ ચાલુ રાખવાના નિર્ણયનો વિવાદ વકર્યો, ફોસ્ટા અધ્યક્ષનું હિંદુ સંગઠનોના કાર્યકરે શાહી ફેંકી કર્યું મોઢું કાળું

pratikshah

BIG NEWS: છેલ્લા 24 કલાકમાં દેશમાં ઘાતક કોરોનાના નવા 2151 કેસો આવ્યા સામે, દેશનું આરોગ્ય તંત્ર ચિંતિત

pratikshah
GSTV