ગુજરાતમાં ઘાતક કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણ વધતા આરોગ્ય તંત્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ ભારે ચિંતિત છે 85 કેસનો વધારો થતા અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ ૧૪૪ કેસ સાથે રાજયમાં કોરોનાના નવા ૪૦૧ કેસ નોંધાયા હતા.એકિટવ કેસની સંખ્યા વધીને ૨૧૩૬ ઉપર પહોંચતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયુ છે.
કોરોનાના ૨૧૩૬ એકિટવ કેસ
રાજ્યમાં કોરોનાના ૨૧૩૬ એકિટવ કેસની સામે ૮ દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.૨૧૨૮ સ્ટેબલ છે.મંગળવારે અમદાવાદમાં કોરોનાના ૧૦૯ કેસ નોંધાયા હતા.બુધવારે નોંધાયેલા કેસની સંખ્યા વધીને ૧૪૧ થઈ હતી.સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના ૩૦,રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ૨૯ કેસ નોંધાયા હતા.
વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં ૨૧ તથા ગ્રામ્યમાં ૨૨ કેસ નોંધાયા હતા.મોરબીમાં ૨૨ કેસ નોંધાયા હતા.મહેસાણામાં ૧૬,સુરત ગ્રામ્યમાં ૧૫,અમરેલીમાં ૧૪ જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા હતા.આ ઉપરાંત કચ્છમાં ૯,બનાસકાંઠામાં ૮,આણંદ અને ગાંધીનગર ગ્રામ્યમાં સાત-સાત કેસ નોંધાયા હતા. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત સાબરકાંઠા અને વલસાડમાં અનુક્રમે પાંચ-પાંચ કેસ નોંધાયા હતા. જામનગર અને પોરબંદરમાં ચાર-ચાર કેસ નોંધાયા હતા. ભરુચ, છોટાઉદેપુર તથા પાટણમાં ત્રણ-ત્રણ કેસ, જામનગર કોર્પોરેશન વિસ્તાર,નવસારીમાં બે-બે તેમજ દાહોદ, દેવભૂમિ દ્વારકા,મહીસાગર અને પંચમહાલમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.
READ ALSO
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ
- આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO
- માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો