દેશમાં અને રાજ્યમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો છે. તો બીજી તરફ માર્ચ મહિનાના આરંભથી અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.૨૦ માર્ચે શહેરમાં કોરોનાના નવા ૫૨ કેસ નોંધાયા હતા.નદીપાર આવેલા થલતેજ,બોડકદેવ ઉપરાંત નવરંગપુરા,જોધપુર અને સેટેલાઈટ સહિતના વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૨૮૩ એકિટવ કેસ નોંધાયા છે.

કોરોનાના કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન | નોંધાયેલા કેસ |
ઉ.પ. | ૧૧૭ |
પશ્ચિમ | ૧૦૩ |
દ.પ | ૬૩ |
દક્ષિણ | ૪૦ |
પૂર્વ | ૩૦ |
ઉત્તર | ૨૩ |
મધ્ય | ૨૨ |
કોરોનાના સૌથી વધુ ૨૮૩ એકિટવ કેસ નોંધાયા
કોરોનાના શહેરમાં કુલ ૩૯૮ એકિટવ કેસ નોંધાયેલા છે.એકિટવ કેસ પૈકી ૩૭૮ દર્દી ૧૯ વર્ષથી ઉપરની વયના તથા ૨૦ દર્દી ૮૦ વર્ષની ઉંમરના હોવાનુ હેલ્થ વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે.કુલ ૩૯ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ પૈકી એક દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે.

શહેરમાં ઝાડા ઉલટીનાં ૨૯૧,ટાઈફોઈડના ૨૩૬ કેસ
૧૮ માર્ચ-૨૦૨૩ સુધીમાં શહેરમાં ઝાડા ઉલટીના ૨૯૧,ટાઈફોઈડના ૨૩૬ કેસ નોંધાયા હતા.કમળાના ૮૬ અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો.ડેન્ગ્યૂના ૧૭,ચિકનગુનિયાના પાંચ અને મેલેરિયાના ચાર કેસ નોંધાયા હતા.માર્ચ મહિનામાં અત્યારસુધીમાં પાણીના લેવામાં આવેલા ૩૦ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.
READ ALSO
- PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?
- ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!
- સુરત/ જેબી બ્રધર હીરા કંપનીના પૂર્વ રત્નકલાકારોના ધરણા, ગ્રેજ્યુઈટીને લઈ શ્રમ વિભાગ કચેરીએ માંડ્યો મોર્ચો
- સુરત/ એથર ઈન્ડસ્ટ્રીઝની આગમાં 9ના મોત, નિષ્પક્ષ તપાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયધિશ પાસે કરાવવાની કોંગ્રેસની માગ
- જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી