રાજ્ય સરકારે રાતો રાત જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કરી દેતા બિલ્ડરો ચિંતિત બન્યા છે..અને જંત્રીના ભાવ વધારા મુદ્દે અમદાવાદ ક્રેડાઈ એસોશિયશનના સભ્યો સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. જેમાં નવા ભાવ વધારો લાગુ કરવા માટે સમયની માંગ કરશે.ઉલ્લેખનિય છે કે સરકારે સોમવારથી જ નવા ભાવ લાગુ કરવાની જાહેરાત કરી છે.


આજે જંત્રીના ભાવ વધારા મુદ્દે ક્રેડાઇની બેઠક યોજાઇ.જેમાં TDR, FSI અને NA મુદ્દે ચર્ચા કરવામાં આવી. બિલ્ડર એશોસીયેશનના મતે, નવા ભાવ વધારાના કારણે નવી બની રહેલી યોજનાઓમાં ખરીદદારોને બમણો ખર્ચ ઉઠાવવો પડશે. એસોશિએશનની માંગણી છે કે, બિલ્ડર રાતોરાત વધારવામાં આવેલી જંત્રીની સમય મર્યાદા સરકાર વધારે, મે મહિનામાં જંત્રીના ભાવ સરકાર અમલમાં મૂકે તેવી માંગણી કરાશે. નવી શરતની જમીન ખરીદી કરવા જઈ રહેલા ખેડૂતો ઉપર મોટા બોજા અંગે બેઠકમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે.
READ ALSO
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે