વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપેલા અચાનક રાજીનામાં બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈને ગાંધીનગર કમલમ ખાતે મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં એક બાદ એક નેતાઓ કમલમાં ધામા નાખી રહ્યાં છે. હાલમાં વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, સી.આર પાટીલ, કૃષિ મંત્રી આર.સી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. આ સાથે ધારાસભ્યોને પણ કમલમ ખાતે પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં પૂનમ માડમ, રામભાઈ મોકરિયા, દેવુસિંહ ચૌહાણ સહિતના સાંસદો પણ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યાં છે. આ સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પટેલ ગાંધીનગર કમલમ ખાતે હાજર રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા પણ કમલમ ખાતે પહોંચ્યા છે.

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષકોની નિમણૂંક
તદુપરાંત તમને જણાવી દઇએ કે, રાજ્યમાં મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.
Vijay Rupani, who resigned as Gujarat Chief Minister yesterday, arrives at the BJP office in Gandhinagar to attend legislature party meet. pic.twitter.com/ajLs4hC3oI
— ANI (@ANI) September 12, 2021
ધારાસભ્યમાંથી જ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે : નરેન્દ્રસિંહ તોમર
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી અને નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરએ રાજ્યના મુખ્યમંત્રીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ‘ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીશું. ધારાસભ્યમાંથી જ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે.’

ગુજરાતમાં અપનાવવામાં આવી શકે છે યુપીની ફોર્મ્યુલા
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નીતિન પટેલ નવા સીએમ બની શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. નીતિન પટેલના નામની પ્રબળ ચર્ચા ચાલી રહી છે. પાટીદાર નેતા જ સીએમ બની શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. યુપીની ફોર્મ્યુલા ગુજરાતમાં અમલ કરાય તેવી શક્યતા છે. એક મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા રાજ્યમાં અમલમાં આવી શકે છે. જેમાં બંને ડેપ્યુટી સીએમ ઓબીસી સમાજમાંથી બને તેવી શક્યતા સેવાઇ રહી છે.

વિજય રૂપાણીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે
કમલમમાં ધારાસભ્ય દળની બેઠક પહેલાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અંદાજે 21 કલાક બાદ નીતિન પટેલ મીડિયા સમક્ષ રૂબરૂ થયાં. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘વિજય રૂપાણીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે. નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવ્યાં છે. નિરીક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવશે.’
સૌને સાથે રાખીને ચાલે તેવાં મુખ્યમંત્રી હોવાં જોઇએ
નીતિન પટેલએ વધુમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘CM અનુભવી હોય તે જરૂરી છે. સૌને સાથે રાખીને ચાલે તેવાં મુખ્યમંત્રી હોવાં જોઇએ. આખું ગુજરાત જેને ઓળખતા હોય તેવા મુખ્યમંત્રી હોવાં જોઈએ. જાણીતો ચહેરો, અને લોકપ્રિય ચહેરો હોવો જોઈએ. દરેક જાતિ-જ્ઞાતિમાં ખ્યાતિ ધરાવતો, સતત મહેનત કરતો મુખ્યમંત્રી હોવો જોઈએ. આ કોઈ ખાલી જગ્યા પુરવા માટેની પ્રોસેસ નથી, ગુજરાતને સફળ નેતૃત્વ મળે તેવી માટેની પ્રોસેસ થશે.’ બધાંને ગમતાને લોકપ્રિય નેતાની પસંદગી પાર્ટી કરે તેવી માંગ નીતિન પટેલે કરી છે. વધુમાં તેમણે નિવેદન આપતા જણાવ્યું કે, ‘CM બનવાની ભાજપમાં કોઈ રેસ નથી ચાલતી, રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય લેશે તે મને મંજૂર હશે.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ED કેસ: ED ભ્રષ્ટાચારને ડામવા માટેનું ઘાતક હથિયાર, 9 વર્ષમાં 95000 કરોડની ગેરકાયદેસર સંપત્તિઓ કરાઈ જપ્ત
- ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત
- NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
- ચીનમાં કોલેજ લવર્સને સ્પ્રિંગ બ્રેક : વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ માટે રજા આપવાની નોબત કેમ આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર