GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ

આજે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની વિગતો આપતાં રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારે દરેક પાંજરાપોળને વિના મુલ્યે 100 લાખ કિ.ગ્રા ઘાસ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરાયો છે.

હાલમાં વન વિભાગના ગોડાઉનમાં 576 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલ્બધ

આજે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમા આ વર્ષે પાંજરાપોળને વિના મુલ્યે 100 કિ.ગ્રા ઘાસ આપવા બાબતે મહત્વનો નિર્ણય કર્યો છે. હાલમાં વન વિભાગના ગોડાઉનમાં 576 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલ્બધ છે. તેમાથી 100 લાખ કિલોગ્રામ ઘાસને ગૌ-શાળા, પાંજરાપોળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ, દુધ ઉત્પાદક મંડળીઓને વિના મુલ્યે વાઢી લઈ જવા માટે મંજુરી આપવામાં આવી છે. 

ચાલુ વર્ષ કુલ 273 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ પાસે ઉપલ્બધ થનાર છે

રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં વન વિભાગના ગોડાઉનમાં 576 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલ્બધ છે. અને ચાલુ વર્ષ કુલ 273 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ પાસે ઉપલ્બધ થનાર છે. તેથી 100 લાખ કિલોગ્રામ ઘાસને ગૌ-શાળા, પાંજરાપોળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ, દુધ ઉત્પાદક મંડળીઓને વિના મુલ્યે વાઢી લઈ જવા માટે મંજુરી આપવામાં આવી છે. જેથી કરીને લાખો પશુઓને ઘાસચારો પુરો પાડવામાં આવી શકાશે. 

READ ALSO

Related posts

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah

પોલીસને મળી મોટી સફળતા! નકલી નોટો છાપનાર આરોપીએને દબોચ્યા, દરોડા દરમ્યાન મળ્યો લાખોનો મુદ્દામાલ

pratikshah

કોવિડ-19નો લાંબા સમય સુધી સામનો કરવાથી થઈ શકે છે ફેસ બ્લાઈન્ડનેસની સમસ્યા

Siddhi Sheth
GSTV