Last Updated on April 30, 2020 by Mayur
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 5.28 લાખ કર્મચારીઓને સમયસર પગાર મળી જશે. રાજ્યના કર્મચારીઓમાં કોઈ જ કાપ મુકવામાં આવશે નહીં. લોકડાઉના કારણે રાજ્યમાં આવકમાં ઘટાડો થયો છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર કર્મચારીઓના પગારમાં કોઈ જ કાપ મુકશે નહીં. 2 હજાર 600 કરોડ રૂપિયા નિયમીત રીતે પગાર ચુકવી દેવામાં આવશે. 4 લાખ 57 હજાર પેન્શરોને પણ સમયસર પગાર ચુકવવામાં આવશે. દર મહિને 4 હજાર કરોડ રૂપિયાની જંગી રકમ ચુકવવાનો સરકારે વિશ્વાસ અપાવ્યો છે.
નીતિન પટેલે સરકારી કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, સરકારના કોઈ પણ કર્મચારીઓ હોય જેને પણ કામગીરી સોંપવામાં આવી છે, તે તમામ લોકો ગુજરાતની જનતાની હાલ સેવા કરી રહ્યા છે. ત્યારે આવા સમયે સરકાર તરફથી આ કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય લેવાયો છે. વેપારીઓ અને ધંધાર્થીઓ હાલ ગુજરાતના લોકડાઉનમાં રોજીરોટી બંધ કરીને પણ પ્રજાજનો ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગનો સહયોગ આપી રહ્યા છે. ત્યારે હું તમામનો આભાર વ્યક્ત કરુ છુ.
READ ALSO
- કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો
- મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?
- નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ
- યુએએન નંબર નથી, ચિંતા કરશો નહીં, આ રીતે પણ પૈસા પણ ઉપાડી શકો છો તમારા પીએફ એકાઉન્ટમાંથી
- હવે આ રીતે 18 વર્ષથી ઉપરના પણ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
